તાજેતરમાં વરસેલા વરસાદમાં ભરૂચના મોટાભાગના રસ્તા ધોવાય હતા. આ રસ્તાના લાખોના ખર્ચે સમારકામ કરાયા છે. પરંતુ રીપેરીંગના નામે કપચી ઠાલવી દેવાતા વાહનોના ટાયરોમાંથી ઊડતી કપચી લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચાડતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી પાલિકાને રજુઆત કરી છે. ભરૂચના લીંકરોડ ઉપર ઠેરઠેર રસ્તા વરસાદી પાણીમાં ધોવાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. મુખ્ય માર્ગ ઉપર મસમોટા ખાડા પડી જતાં સ્થાનિકો રોષે ભરાયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પાલિકા સામે લોકોની વધતી નારાજગીને ડામવા રસ્તાઓનું સમારકામ કરાયું હતું. પાલિકાએ ઘણા વિસ્તારોમાં કપચી પાથરી સમારકામનો સંતોષ માન્યો છે પણ ગુણવત્તાની દ્રષ્ટિએ કોંગ્રેસ આ સમારકામનો વિરોધ કરી રહ્યું છે. લેવલીંગ અને કાર્પેટિંગ ન કરવામાં આવતા રસ્તા ધૂળિયા બન્યા છે, જયારે કપચીઓ ઉડી લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચાડી રહી હોવાના અને દર વર્ષે બનાવવા પડતા રસ્તાને ભ્રષ્ટાચાર સાથે સરખાવતાં આક્ષેપ કરાઈ રહ્યા છે. કોંગ્રેસના શહેર પ્રમુખ તેજપરિત સોખીએ જણાવ્યું હતું કે કપચી વાહનોના ટાયરમાંથી ઉડી લોકોને ઈજાઓ પહોંચાડે છે. દરવર્ષે રસ્તા ખરાબ થતાં રસ્તા ભ્રષ્ટાચારનો ભાગ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:20 pm, Sat, 12 September 20