ભરૂચ તાલુકાના કંબોલી ગામે ૪ બાળકોની કોઈ વનસ્પતિના બીજ ખાવાથી તબિયત લથડતા તમામને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીમમાં રમતા બાળકોએ બીજ ખાધા હતા જેમને ઉલ્ટી સહિતની તકલીફો શરૂ થતા સારવારની જરૂર પડી હતી.
સાંજના સુમારે કંબોલી ગામના બાળકો સીમમાં રમતા હતા ત્યારે બાળકો કોઈ વનસ્પિતના વૃક્ષ નીચે પડેલા બીજ ખાધા હતા. સ્વાદમાં સારા લગતા એક બાળકના અભિપ્રાયના આધારે અન્ય બાળકોએ પણ બીજ ખાવા મંડ્યા હતા. ચાર બાળકોએ વધુ માત્રામાં બીજ ખાવાથી તેમની તબિયત લથડી હતી. બાળકો ઉલ્ટી સાથે ચક્કર અને માથામાં દુખાવાની ફરિયાદ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી પાલેજ આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
૧૦૮ સેવાના અધિકારી અશોક મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ બાળકોએ દિવેલાના બીજ ખાધા હોય તેમ લાગી રહ્યું છે. બાળકોને વધુ સારવારની જરૂર લગતા તેમને પાલેજ આરોગ્ય કેન્દ્ર ખાતેથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા બાળકોના નામ
(1) આયુષ સુખદેવ વસાવા
(2) અર્જુન રાજેશ વસાવા
(3) શૈલેષ ભીખાભાઈ વસાવા
(4) મનીષ હસમુખ વસાવા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 11:01 pm, Tue, 10 November 20