Bharuch Covid Hospital Fire Investigation : જસ્ટિસ ડી.એ. મહેતાએ કોવિડ કેર સેન્ટરનું નિરીક્ષણ કર્યું, દુર્ઘટનાનું કારણ જાણવા શરૂ કરાયા પ્રયાસ

|

May 25, 2021 | 2:04 PM

વેલફેર કોવિડ સેન્ટરના અગ્નિકાંડમાં 16 દર્દી સાથે 19 વર્ષની 2 ટ્રેઈની નર્સની જિંદગી જીવતી જ હોમાઈ ગઈ હતી.

Bharuch Covid Hospital Fire Investigation : જસ્ટિસ ડી.એ. મહેતાએ કોવિડ કેર સેન્ટરનું નિરીક્ષણ કર્યું, દુર્ઘટનાનું કારણ જાણવા શરૂ કરાયા પ્રયાસ
1લી મેની રાતે અગ્નિકાંડનો ભોગ બનેલું કોવીડ કેર સેન્ટર

Follow us on

ગુજરાતના 61 માં સ્થાપના દિનની પૂર્વ મધરાતે જ ભરૂચની કોવિડ હોસ્પિટલ પટેલ વેલફેરમાં લાગેલી આગે લોકોને હતપ્રત કરી દીધા હતા. વેલફેર કોવિડ સેન્ટરના અગ્નિકાંડમાં 16 દર્દી સાથે 19 વર્ષની 2 ટ્રેઈની નર્સની જિંદગી જીવતી જ હોમાઈ ગઈ હતી. અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ બાદ ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ પણ રાજ્ય સરકારે પૂર્વ જસ્ટિસ ડી.એ. મહેતા પંચને સોંપાઈ છે.

ભરૂચ ખાતેની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તલસ્પર્શી તપાસ માટે 6 મે એ નિવૃત જસ્ટિસ ડી.એ .મહેતાના તપાસ પંચની રચના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. આ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ નિવૃત જસ્ટિસ ડી. એ. મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવામાં આવ્યું હતું.

આજે મંગળવારે ભરૂચ પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલના આગ હોનારતની તપાસ માટે જસ્ટિસ ડી.એ.મહેતા સવારે 11 કલાકે આવી પોહચ્યા હતા. તેમીની મુલાકાત અને આગમનને લઈ આ હોનારતની તપાસ કરતી તમામ એજન્સીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભરૂચ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં તપાસ પંચ પૂર્વ જસ્ટિસ ડી.એ. મહેતા એ દુર્ઘટના સ્થળ આગમાં બળીને રાખ થયેલા નવી બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. જસ્ટિસ મહેતા પંચની 1.15 કલાક સુધીની મુલાકાતમાં જરૂરી નિરીક્ષણ, તપાસ, અન્ય તપાસ એજન્સીઓ અને અધિકારીઓના અહેવાલો તેમજ રિપોર્ટ સહિતની વિગતો મેળવાઈ હતી.

જસ્ટિસ ડી.એ. મહેતા પાંચ આ અગ્નિકાંડની ઘટનામાં તલસ્પર્શી નિરીક્ષણ અને તપાસ કર્યા બાદ ઘટના પાછળના કારણો કયા હતા અને આવા બનાવો કેવી રીતે અટકાવી શકાય એ સંદર્ભે રાજ્ય સરકારને 3 મહીનમાં અહેવાલ સુપરત કરશે. અમદાવાદની કોવિડ શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગજનીની તપાસ પણ નિવૃત જસ્ટિસ ડી.એ. મહેતા પંચને આપવામાં આવી હતી.

Next Article