બટાકા, ડુંગળી અને તુવેરદાળની આયાત રોકવા કિસાન સંઘની માગ, આયાત કરવામાં આવશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહિ મળે
બટાકા,ડુંગળી અને તુવેરદાળના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે કિસાન સંઘે તેની આયાત રોકવાની માગ કરી છે. કિસાન સંઘે કહ્યું કે જનતાને થોડો સમય મોંઘવારી લાગશે પરંતુ ખેડૂતોને બમણા ભાવ મળે તે માટે લોકોએ બટાકા ડુંગળી અને તુવેરદાળની આયાત રોકવી જોઇએ. સાથે જ કિસાન સંઘે કેન્દ્ર અને રાજ્ય સરકારને કપાસની ખરીદી પણ મોટા પાયે હાથ […]
Follow us on
બટાકા,ડુંગળી અને તુવેરદાળના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે કિસાન સંઘે તેની આયાત રોકવાની માગ કરી છે. કિસાન સંઘે કહ્યું કે જનતાને થોડો સમય મોંઘવારી લાગશે પરંતુ ખેડૂતોને બમણા ભાવ મળે તે માટે લોકોએ બટાકા ડુંગળી અને તુવેરદાળની આયાત રોકવી જોઇએ. સાથે જ કિસાન સંઘે કેન્દ્ર અને રાજ્ય સરકારને કપાસની ખરીદી પણ મોટા પાયે હાથ ધરવાની રજૂઆત કરી છે. કિસાનસંઘનું કહેવું છે કે બટાકા ડુંગળીવા વધતા ભાવના કારણે સરકારે બટાકા અને ડુંગળીની આયાત કરવાનું નક્કી કર્યું તુવેરદાળની આયાત માટે પણ 31 ડિસેબ્મર સુધી તારીખ લંબાવવામાં આવી છે. પરંતુ કિસાનસંઘની માગ છે કે જો બટાકા,ડુંગળીની આયાત કરવામાં આવશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહિ મળે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો