AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambaji તરફ ભક્તોનો અવિરત પ્રવાહ, રવિવારે સવા લાખ લોકોએ દર્શન કર્યા

ગુજરાતના (Gujarat)  પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji)  ભાદરવી પૂનમના મેળાની(Bhadarvi Poonam Fair)   તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યારે હાલ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ વહી રહ્યો છે

Ambaji તરફ ભક્તોનો અવિરત પ્રવાહ, રવિવારે સવા લાખ લોકોએ દર્શન કર્યા
અંબાજીમાં નવરાત્રી નિમિત્તે ભક્તોનો ધસારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 8:49 PM
Share

ગુજરાતના (Gujarat)  પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji)  ભાદરવી પૂનમના મેળાની(Bhadarvi Poonam Fair)   તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યારે હાલ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ વહી રહ્યો છે. જેમાં આજે શક્તિપીઠ અંબાજીમા આજે સવા લાખ લોકોએ દર્શન કર્યા છે. તેમજ 115000 પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે. તેમજ આ દરમ્યાન પાલનપુરના માઈભક્ત દ્વારા 52.50 લાખના 1 કિલો સોનાનું દાન આવ્યું છે. જ્યારે 100 ગ્રામની લગડી 9,50 ગ્રામની લગડી 2 દાન આપવામાં આવી છે. જ્યારે બીજા એક મુંબઇના દાતાએ એક સોનાનો હાર 105 ગ્રામ અને 4 લાખ 80 હજારની કિંમતની ભેટ આપી છે.

અંબાજી ખાતે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. જેમાં સોમવારે અંબાજી મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકાશે.આગામી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે. અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મેળો કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો.બે વર્ષના લાંબા વિરામ બાદ આ ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે.જેને લઈ ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે..અને મેળા પહેલા જ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે..તો બીજી તરફ છ દિવસના મેળાને લઇને વહીવટ તંત્ર પણ એલર્ટ બન્યું છે. શ્રદ્ધાળુંની સુરક્ષા માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે..મેળા દરમિયાન 5 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહેશે.તો આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે અને વિવિધ સ્થળોએ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે..જ્યારે યાત્રીકોને મુસાફરીમાં કોઇ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગે પણ અલાયદી વ્યવસ્થા કરી છે.

બનાસકાંઠા પોલીસ દ્વારા 48 જેટલા પોલીસ સહાયતા કેદ્રો ઉભા કરવામાં આવ્યા

જેમાં બનાસકાંઠા પોલીસ દ્વારા 500થી વધારે પોઇન્ટ પર 5000 પોલીસ/ SRP/HG/GRDના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ 50 જેટલા મોબાઈલ પેટ્રોલિંગ રુટ ઉપર 24*7 પોલીસ વાન , મોટરસાયકલ , ઘોડેસવાર દ્વારા ચાંપતી નજર રખાશે. તેમજ 325થી વધારે CCTV કેમેરા અને 10 જેટલા PTZ કેમેરાને FRS ( facial recognition systi ) સાથે જોડી તમામ અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રખાશે. આ ઉપરાંત 48 બોડી વોર્ન કેમેરા , 35 વિડિઓ ગ્રાફર , 4 ડ્રોન કેમેરા , 13 વૉચ ટાવર અને 10 BDDS ટીમ દ્વારા પણ ચાંપતી  નજર રાખવામાં આવશે.આ વખતે પ્રથમ વખત બનાસકાંઠા પોલીસ દ્વારા 48 જેટલા પોલીસ સહાયતા કેદ્રો ઉભા કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ માઇ ભક્ત ને કોઈ પણ સમયે તત્કાલ મદદ કરી શકાય.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">