AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: ઉનાળા પહેલા જ ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા, પશુપાલન કરવુ બન્યુ અઘરુ

એક તરફ દૂધના ભાવ યથાસ્થિતિ એ છે. જ્યારે બીજી તરફ લીલા ઘાસની તંગી અને સૂકા ઘાસ ના ભાવ બમણા થઇ જતાં ખેડૂતોની પશુપાલકોની મુશ્કેલી વધી છે. પશુપાલકો માગ કરી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તો તેમની સમસ્યાનું નિવારણ થઈ શકે.

Banaskantha: ઉનાળા પહેલા જ ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા, પશુપાલન કરવુ બન્યુ અઘરુ
Green Fodder - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 8:20 AM
Share

બનાસકાંઠા (Banaskantha)ના ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન  (Animal Husbandry) સાથે સંકળાયેલા છે. જો કે ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ પશુપાલન માટેના લીલા તેમજ સૂકા ઘાસચારા (Forage)ની અછત શરૂ થઈ જાય છે. ઘાસચારો ઉનાળા પૂર્વે જ ખલાસ થઈ જાય છે. આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત પહેલા જ સૂકાં તેમજ લીલા ઘાસચારાની તંગી સર્જાતાં ભાવ બમણાં થઈ ગયા છે. જેથી પશુપાલકો માટે હવે પશુપાલનનો ખર્ચ વધી ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન અને ખેતી મુખ્ય વ્યવસાય છે. પરંતુ આ વર્ષે પશુપાલકો માટે પશુપાલન કરવું અઘરું બન્યું છે. પાણીની અછતના કારણે ઘાસચારો તૈયાર થયો નથી. લીલું ઘાસ મળતું નથી, જ્યારે સૂકા ઘાસના ભાવ બમણાં થતાં પશુપાલન કરવું મુશ્કેલ બન્યું છે.

સૂકાં ઘાસચારામાં બાજરી, જુવાર, મકાઈ કે ડાંગરના પૂળાનો ઉપયોગ થાય છે. હાલમાં સૂકો ઘાસચારો મળવો જ મુશ્કેલ છે. તેમાંય જયાં મળે છે ત્યાં બમણા ભાવે મળી રહ્યો છે. જ્યારે લીલો ઘાસચારો જયાં પિયતની સગવડ છે, ત્યાં જ મળી રહે છે. ઘાસચારાની તંગીની સીધી અસર પશુના દૂધ ઉત્પાદન પર થાય છે.

બનાસકાંઠા જિલ્લામાં ખેતી સાથે પશુપાલન મોટાપાયે થાય છે. મોટાપાયે ઘાસચારાની માંગ આ વિસ્તારમાં વધુ રહે છે. આ વર્ષે પાણીના તળ ઉંડા જતા ઘાસચારો ઓછો થયો છે. જેના કારણે ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલુ ઘાસ તો મળતું જ નથી. પરંતુ સૂકા ઘાસચારાના ભાવ બમણા થઈ જતા ખેડૂતોની પશુપાલકોની મુશ્કેલી વધી છે. પશુપાલન કરતા પશુપાલકો નું કહેવું છે કે દૂધના ભાવ યથાવત છે. જ્યારે ઘાસચારો આસમાને પહોંચતાં પશુઓનો નિભાવ કઈ રીતે કરવો તે સૌથી મોટો સવાલ બન્યો છે.

એક તરફ દૂધના ભાવ યથાસ્થિતિ એ છે. જ્યારે બીજી તરફ લીલા ઘાસની તંગી અને સૂકા ઘાસ ના ભાવ બમણા થઇ જતાં ખેડૂતોની પશુપાલકોની મુશ્કેલી વધી છે. પશુપાલકો માગ કરી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તો તેમની સમસ્યાનું નિવારણ થઈ શકે. ઘાસચારા ની અછત જ ભાવ વધારાનું મુખ્ય કારણ છે.

આ પણ વાંચો- Mandi: મહેસાણાના વિસનગર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 3505 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો- Dwarka :કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રમુખની સાફ વાત, કામ કરવાવાળાને જ સંગઠનમા સારી જગ્યાએ સ્થાન મળશે

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">