Banaskantha: ઉનાળા પહેલા જ ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા, પશુપાલન કરવુ બન્યુ અઘરુ

એક તરફ દૂધના ભાવ યથાસ્થિતિ એ છે. જ્યારે બીજી તરફ લીલા ઘાસની તંગી અને સૂકા ઘાસ ના ભાવ બમણા થઇ જતાં ખેડૂતોની પશુપાલકોની મુશ્કેલી વધી છે. પશુપાલકો માગ કરી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તો તેમની સમસ્યાનું નિવારણ થઈ શકે.

Banaskantha: ઉનાળા પહેલા જ ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા, પશુપાલન કરવુ બન્યુ અઘરુ
Green Fodder - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 8:20 AM

બનાસકાંઠા (Banaskantha)ના ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન  (Animal Husbandry) સાથે સંકળાયેલા છે. જો કે ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ પશુપાલન માટેના લીલા તેમજ સૂકા ઘાસચારા (Forage)ની અછત શરૂ થઈ જાય છે. ઘાસચારો ઉનાળા પૂર્વે જ ખલાસ થઈ જાય છે. આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત પહેલા જ સૂકાં તેમજ લીલા ઘાસચારાની તંગી સર્જાતાં ભાવ બમણાં થઈ ગયા છે. જેથી પશુપાલકો માટે હવે પશુપાલનનો ખર્ચ વધી ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન અને ખેતી મુખ્ય વ્યવસાય છે. પરંતુ આ વર્ષે પશુપાલકો માટે પશુપાલન કરવું અઘરું બન્યું છે. પાણીની અછતના કારણે ઘાસચારો તૈયાર થયો નથી. લીલું ઘાસ મળતું નથી, જ્યારે સૂકા ઘાસના ભાવ બમણાં થતાં પશુપાલન કરવું મુશ્કેલ બન્યું છે.

સૂકાં ઘાસચારામાં બાજરી, જુવાર, મકાઈ કે ડાંગરના પૂળાનો ઉપયોગ થાય છે. હાલમાં સૂકો ઘાસચારો મળવો જ મુશ્કેલ છે. તેમાંય જયાં મળે છે ત્યાં બમણા ભાવે મળી રહ્યો છે. જ્યારે લીલો ઘાસચારો જયાં પિયતની સગવડ છે, ત્યાં જ મળી રહે છે. ઘાસચારાની તંગીની સીધી અસર પશુના દૂધ ઉત્પાદન પર થાય છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

બનાસકાંઠા જિલ્લામાં ખેતી સાથે પશુપાલન મોટાપાયે થાય છે. મોટાપાયે ઘાસચારાની માંગ આ વિસ્તારમાં વધુ રહે છે. આ વર્ષે પાણીના તળ ઉંડા જતા ઘાસચારો ઓછો થયો છે. જેના કારણે ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલુ ઘાસ તો મળતું જ નથી. પરંતુ સૂકા ઘાસચારાના ભાવ બમણા થઈ જતા ખેડૂતોની પશુપાલકોની મુશ્કેલી વધી છે. પશુપાલન કરતા પશુપાલકો નું કહેવું છે કે દૂધના ભાવ યથાવત છે. જ્યારે ઘાસચારો આસમાને પહોંચતાં પશુઓનો નિભાવ કઈ રીતે કરવો તે સૌથી મોટો સવાલ બન્યો છે.

એક તરફ દૂધના ભાવ યથાસ્થિતિ એ છે. જ્યારે બીજી તરફ લીલા ઘાસની તંગી અને સૂકા ઘાસ ના ભાવ બમણા થઇ જતાં ખેડૂતોની પશુપાલકોની મુશ્કેલી વધી છે. પશુપાલકો માગ કરી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તો તેમની સમસ્યાનું નિવારણ થઈ શકે. ઘાસચારા ની અછત જ ભાવ વધારાનું મુખ્ય કારણ છે.

આ પણ વાંચો- Mandi: મહેસાણાના વિસનગર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 3505 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો- Dwarka :કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રમુખની સાફ વાત, કામ કરવાવાળાને જ સંગઠનમા સારી જગ્યાએ સ્થાન મળશે

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">