Banaskantha : લમ્પી વાયરસનો કહેર યથાવત, ગોઢ ગામમાં 40 પશુઓના મોત થતા અરેરાટી વ્યાપી

|

Aug 30, 2022 | 12:46 PM

બનાસકાંઠા જિલ્લાના 700 જેટલા ગામોમાં લમ્પી વાયરસ (Lumpy virus) ફેલાયો છે અને 19 હજાર જેટલા પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત છે.

Banaskantha : લમ્પી વાયરસનો કહેર યથાવત, ગોઢ ગામમાં 40 પશુઓના મોત થતા અરેરાટી વ્યાપી

Follow us on

સમગ્ર રાજ્યમાં લમ્પી વાયરસે (Lumpy virus)  હાહાકાર મચાવ્યો છે.જેમાં સૌથી વધુ અસર કચ્છ અને બનાસકાંઠામાં (banskantha) જોવા મળી રહી છે.દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં (Dantiwada Agriculture University)લમ્પી વાયરસે ફરીથી માથુ ઉંચક્યુ છે.એક સાથે 19 ગાયના મોત થયા છે,જ્યારે 100થી વધુ ગાયો હજુ પણ લમ્પીના ઓથ નીચે જીવી રહી છે.તો બીજી બાજુ ગોઢ ગામમાં પણ 40 પશુઓના (Cattle) મોત થતા આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.તો પાલનપુરના ગઠામણ ગામે બે પશુઓના લમ્પી વાયરસથી મોત થયા છે. જિલ્લામાં અત્યારસુધી કુલ 402 પશુઓના મોત નિપજ્યા છે, જિલ્લાના 700 જેટલા ગામોમાં લમ્પી વાયરસ ફેલાયો છે અને 19 હજાર જેટલા પશુઓ લમ્પી વાયરસને (Lumpy virus case) લીધે બીમાર છે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં લમ્પી વાયરસે માથુ ઉંચક્યુ

જુલાઈમાં બનાસકાંઠામાં લમ્પી વાયરસની એન્ટ્રી થતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારને લઇ તંત્ર એક્શનમાં આવ્યું હતુ.લમ્પી વાયરસના સંકટને લઈ DDOએ તાત્કાલિક બેઠક બોલાવી હતી અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.બેઠક બાદ ડીડીઓએ ખેડૂતો અને લોકોને કેટલાક સૂચન કર્યા.તેમણે કહ્યું કે જો પશુમાં લમ્પીના લક્ષણ દેખાય તો તેને અલગ રાખવામાં આવે.1962 હેલ્પલાઇન નંબર અને વેટેરનરી દવાખાનાનો સંપર્ક કરવાની પણ ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી.સાથે સાથે નાગરવેલનું પાન, કાળા મરચા અને મીઠાનો ઉકાળો પશુઓને આપવા સલાહ આપવામાં આવી હતી.

મહત્વનું છે કે એ સમયે બનાસકાંઠાના 5 તાલુકામાં 223 પશુઓને લમ્પી વાયરસની અસર થઇ હતી.જેમાં ધાનેરાના (Dhanera Taluka)  મગરાવા અને જાડી ગામે પશુઓમાં વધુ અસર જોવા મળી રહી છે તો લમ્પી વાયરસના કહેરને લઈ અમીરગઢ અને ખોડા બોર્ડર સિલ કરવામાં આવી હતી.રાજસ્થાનથી આવતા તમામ પશુઓની નોંધણી અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Published On - 12:45 pm, Tue, 30 August 22

Next Article