ઉત્તર ગુજરાતના તળાવોને નર્મદાના પાણીથી ભરવા રાજ્ય સરકારે 550 કરોડ રૂપિયાની મહત્વની યોજના જાહેર કરી, કેબિનેટમાં લેવાયો નિર્ણય

|

Jul 05, 2022 | 8:35 PM

યોજનાથી મુક્તેશ્વર જળાશય ઉપરાંત કરમાવદ તળાવ ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના ૯ તાલુકાના કુલ ૯૭ ગામોને નર્મદાના પાણી થકી પૂરક સિંચાઇનો લાભ મળશે. જેનાથી કોરાધાકોર રહેતા ગ્રામ્ય વિસ્તારના તળાવો પણ પાણીથી છલકાઈ ઉઠશે.

ઉત્તર ગુજરાતના તળાવોને નર્મદાના પાણીથી ભરવા રાજ્ય સરકારે 550 કરોડ રૂપિયાની મહત્વની યોજના જાહેર કરી, કેબિનેટમાં લેવાયો નિર્ણય
Mukteshwer જળાશય અને કરમાવદ તળાવ ભરાશે

Follow us on

ઉત્તર ગુજરાતમાં 97 ગામોના તળાવોને નર્મદા (Narmada) ના નીર વડે ભરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબીનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે આ અંગેની જાણકારી રાજ્ય સરકાર ના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) એ આપી હતી કે, ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓના 9 તાલુકાઓના 97 ગામના તળાવ સુધી રાજ્ય સરકાર નર્મદાના નીર પહોંચાડશે. આ માટે સરકાર દ્વારા સાડા પાંચ અબજ રુપિયાનો ખર્ચ કરીને આ યોજના અમલમાં મુકવામાં આવશે. આમ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તળાવો છલોછલ રહેવાથી રાહત સર્જાશે. આ યોજના હેઠળ પાઈપ લાઈન મારફતે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રાના કરમાવદ તળાવ સુધી નર્મદાનુ પાણી પહોંચાડાશે.

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જીલ્લામાં સિંચાઈની સુવિધા પુરી પાડવા માટે થઈને આ મહત્વની યોજના અંગે નિર્ણય લેવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના અને વડગામના સ્થાનિકો તેમજ કિસાન સંઘ દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી અને કરમાવદ તળાવ ભરવા માટે મુખ્યપ્રધાને નિર્ણય લીધો હતો.

બનાસકાંઠા જિલ્લાના જલોત્રામાં આવેલ કરમાવદ તળાવ સુધી નર્મદાનુ પાણી પહોંચાડવામાં આવશે. આ માટે નર્મદાની મુખ્ય નહેરની સાંકળ 311 કિમી થી ઓફટેક થતી મોઢેરા થી મોટીદાઉ સુધીની એમ.એસ પાઇપલાઇનને લંબાવાશે. મુક્તેશ્વર જળાશય અને ત્યાંથી કરમાવદ તળાવને જોડતી પાઈપલાઈનની યોજના અમલમાં આવશે. આ માટે રાજ્ય સરકારે 550 કરોડ રુપિયાની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

મુક્તેશ્વર જળાશય સુધી 200 ક્યૂસેકની ક્ષમતાની પાઈપ

મહેસાણાના મોટી દાઉ થી જલોત્રા સુધીની આશરે 70 કિમી લાંબી એમએસ પાઈપલાઈન નાંખવામાં આવશે. જેમાં પ્રથમ ફેસ મુક્તેશ્વર જળાશય સુધીનો 200 ક્યૂસેક પાણીની વહનક્ષમતા ધરાવતી પાઈપ લાઈન આધારીત હશે. જ્યારે બીજા ફેસમાં મુક્તેશ્વરથી કરમાવદ તળાવ સુધીની પાઈપ લાઈન 100 ક્યૂસેક પાણીની વહનક્ષમતા ધરાવતી હશે. યોજના થકી મોટી દાઉ થી આશરે ૨૮૦ મીટરની ઉંચાઇ પર નર્મદાનું પાણી લીફ્ટ કરી કરમાવદ તળાવ સુધી પહોંચાડવામાં આવશે.

પ્રધાન વાઘાણી એ કહ્યુ હતુ કે, આ નવિન યોજનાથી કરમાવદ તળાવ ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના ૯ તાલુકાના કુલ ૯૭ ગામોને નર્મદાના પાણી થકી પૂરક સિંચાઇનો લાભ મળશે. જેનાથી કોરાધાકોર રહેતા ગ્રામ્ય વિસ્તારના તળાવો પણ પાણીથી છલકાઈ ઉઠશે. આમ પાટણ અને બનાસકાંઠા વિસ્તારને મોટી રાહત ભરેલા તળાવોને લઈ રહેશે.

Published On - 6:03 pm, Tue, 5 July 22

Next Article