AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: દિયોદરના વખા ખાતે છેલ્લા પાંચ દિવસથી ખેડૂતોનું પૂરતી વીજળીની માંગ સાથે આંદોલન

બનાસકાંઠાના દિયોદરના વખા ગામે વીજ પ્રશ્ને ધરણા પર બેસેલા ખેડૂતોની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. ખેડૂતો પ્રશ્ને ઝાંસીની રાણી માફક લડવાની પણ ગેનીબેને તૈયારી બતાવી હતી.

Banaskantha: દિયોદરના વખા ખાતે છેલ્લા પાંચ દિવસથી ખેડૂતોનું પૂરતી વીજળીની માંગ સાથે આંદોલન
બનાસકાંઠા જિલ્લામાં દિયોદરના વખા ખાતે છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો પૂરતી વીજળીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે.
Kuldeep Parmar
| Edited By: | Updated on: Mar 27, 2022 | 12:02 PM
Share

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં દિયોદરના વખા ખાતે છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો (Farmers) પૂરતી વીજળી (electricity) ની માંગ સાથે આંદોલન (agitation) કરી રહ્યા છે. ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર પોતાના વાયદા પ્રમાણે આઠ કલાક પૂરતી વીજળી આપે. જ્યાં સુધી આઠ કલાક પૂરતી વીજળી નહીં મળે ત્યાં સુધી ખેડૂતોના ધરણા યથાવત રહેશે. ખેડૂતોની ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં સરકાર ખેડૂતોના વીજ મામલે યોગ્ય નિરાકરણ નહીં કરે તો રાજ્ય વ્યાપી ઉગ્ર આંદોલન થશે અને વિધાનસભાના ઘેરાવ કાર્યક્રમ યોજવામાં આવશે.

રાજ્યમાં પૂરતી વીજળી ન મળતા ખેડૂતો ત્રાહિમામ છે. બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર ખેડૂતો પૂરતી વીજળીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. દિયોદર વખા વીજ સબ સ્ટેશન ખાતે પાંચ દિવસથી ખેડૂતોના ધરણા યથાવત છે. પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ખેડૂતોની એક જ માંગ છે કે આઠ કલાક પૂરતી વીજળી આપવા માટે સરકારે વાયદો કર્યો છે. ત્યારે ખેડૂતોને પૂરતી વીજળી સરકાર આપે. છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો આંદોલન કરતા હોવા છતાં સરકાર ખેડૂતોની બાબતને ગંભીરતાથી લેતી નથી.

બનાસકાંઠાના દિયોદરના વખા ગામે વીજ પ્રશ્ને ધરણા પર બેસેલા ખેડૂતોની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. ખેડૂતો પ્રશ્ને ઝાંસીની રાણી માફક લડવાની પણ ગેનીબેને તૈયારી બતાવી હતી. અહીં ગેનીબેન લડાયક મિજાજમાં જોવા મળ્યા હતા. ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એક સમયે કોંગ્રેસની સરકારને પણ ખેડૂતોએ સત્તા પરથી હટાવી હોવાનું ગેનીબેને સ્વીકાર્યું હતું, ત્યારે ભાજપ સરકાર ખેડૂતોને 8 કલાક વીજળી આપી પોતાનું વચન પૂર્ણ કરે એવી ગેનીબેને માગ કરી હતી.

મહત્વનું છે કે ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ આજથી ખેડૂતોને 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે તો અઠવાડિયા પછી 6 કલાકથી વધુ સમય માટે વીજળી આપવાની પણ ખાતરી આપી છે. સાથે જ ખેડૂતોને પુરતો વીજ પુરવઠો મળે તેની વ્યવસ્થા થશે તેવુ પણ જણાવ્યુ છે. જો કે બીજી તરફ અનેકવાર વાયદો કરવા છતા વીજળી પુરતી ન મળતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. છેલ્લા મહિનાથી ખેડૂતો અપુરતી વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વાતનો સ્વીકાર UGVCLના ગાંધીનગરના એક્ઝીક્યુટિવ એન્જિનિયરે પણ કરેલો છે.

આ પણ વાંચોઃ Surat: આવકનો દાખલો મેળવવા હવે વિદ્યાર્થીઓને નહીં પડે મુશ્કેલી, શાળામાં જ કરવામાં આવશે વ્યવસ્થા

આ પણ વાંચોઃ Jamnagar: કાલાવડ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">