બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને રસ્તામાં છોડી વિરોધ કરવામાં આવ્યો. ગૌશાળા સંચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર પશુ સહાય માટેની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ગૌધન હવે રસ્તા પર રહેશે. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પશુધનને રસ્તા પર છોડી મૂકતા, દરેક […]
Follow us on
બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને રસ્તામાં છોડી વિરોધ કરવામાં આવ્યો. ગૌશાળા સંચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર પશુ સહાય માટેની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ગૌધન હવે રસ્તા પર રહેશે. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પશુધનને રસ્તા પર છોડી મૂકતા, દરેક પાંજરાપોળ અને ગૌશાળાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવાયો હતો. અને પાંજરાપોળ અને ગૌશાળામાંથી પશુઘનને રસ્તા પર આવતુ અટકાવવા કાર્યવાહી કરી હતી. રાજ્યની સૌથી વધુ 154 ગૌશાળા અને પાંજરાપોળ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. જેમાં એક લાખથી વધુ પશુધનનો નિભાવ થઈ રહ્યો છે.