રાજ્યમાં મગફળીના ખેડૂતો માટે રાજ્ય સરકારે ટેકાના ભાવ તો જાહેર કર્યા પરંતુ આ ભાવ ખેડૂતોને ઓછા પડી રહ્યા છે અને એટલે જ ખેડૂતો ટેકાના ભાવ લેવાના બદલે ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવને માત્ર નામની યોજના ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ટેકાના ભાવની પ્રક્રિયામાં વળતર મળતા પણ લાંબો સમય વીતી જાય છે, પરિણામે તેમને પાક વેચ્યા પછી ત્રણ મહિને રૂપિયા મળે છે. બનાસકાંઠાના ખેડૂતો ટેકાના ભાવની આ યોજનાને માત્ર લોલીપોપ ગણાવી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે, આ પ્રક્રિયા ઝડપી બને તઅને ખેડૂતોને ઝડપથી રૂપિયા મળી જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
આ પણ વાંચો: જૂનાગઢ: ગિરનાર રોપવેમાં પ્રવાસીઓની જામી ભીડ, દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો