BANASKATHA : એપેડમિક ડ્રોપ્સી રોગમાં 3ના મોત, એપેડમિક ડ્રોપ્સી રોગ શું છે ?

|

Aug 06, 2021 | 7:23 PM

રાયડાના તેલમાં સત્યનાશી (દારૂડી) ભળી જતા એપેડમિક ડ્રોપ્સીનો રોગ લાગુ પડે છે. જેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે.

BANASKATHA : એપેડમિક ડ્રોપ્સી રોગમાં 3ના મોત, એપેડમિક ડ્રોપ્સી રોગ શું છે ?
BANASKANTHA: what is epidemic drops disease?

Follow us on

BANASKATHA : જિલ્લામાં થતાં આકસ્મિક મોત મામલે આરોગ્ય વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભેદી મોતના કારણ સામે આવ્યા છે. રાયડાના તેલમાં સત્યનાશી (દારૂડી) ભળી જતા એપેડમિક ડ્રોપ્સીનો રોગ લાગુ પડે છે. જેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ભેળસેળયુક્ત રાયડા નું તેલ ખોરાકમાં આરોગવાથી એપેડમિક ડ્રોપ્સી રોગ થાય છે. તાજેતરમાં જીલ્લામાં કુંડી ગામના 3 લોકોના મોત એપેડમિક ડ્રોપ્સીના કારણે થતાં આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે.

એપેડમિક ડ્રોપ્સી રોગ શું છે ?
એપેડમિક ડ્રોપ્સી રાઈના તેલમાં દારૂડી (સત્યનાશી) નામની જંગલી વનસ્પતિના બીજ રાયડાના તેલમાં ભેળસેળના કારણે થતી બીમારી છે. ભારતમાં સૌપ્રથમ એપેડમિક ડ્રોપ્સીનો કેસ 1877 માં કલકત્તાના પશ્ચિમ બંગાળ ખાતે નોંધાયેલો. જે બાદ મોટો રોગચાળો 1998 માં દિલ્હીમાં નોંધાયેલો. ગુજરાતમાં ગોધરા અને બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા તાલુકામાં અગાઉ એપેડમિક ડ્રોપ્સી રોગ કેસ નોંધાયેલા છે. એપેડમિક ડ્રોપ્સી ના કેસ મે માસથી નવેમ્બર માસ વચ્ચે જોવા મળે છે.

ધાનેરાના કુંડી ગામે એપેડમિક ડ્રોપ્સી નામના રોગ થી એકજ પરિવારના ત્રણ લોકોના મોત
ધાનેરાના કુંડી ગામે એક જ પરિવારના ત્રણ લોકોના આકસ્મિક મોત થતા આરોગ્ય વિભાગે એલર્ટ બન્યું હતું. જે બાદ આરોગ્ય વિભાગે તપાસ કરતા આ ત્રણે લોકોના મોતની પાછળ એપેડમિક ડ્રોપ્સી નામનો રોગ હોવાનું સામે આવ્યું હતું. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના ગુંદરી ગામે એપેડમિક ડ્રોપ્સીના કારણે જૂન માસમાં બેલોકોના મોત થયા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જ્યારે 2015માં ગુંદરી ગામે પણ આજ કારણ થી બે લોકોના મોત થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં જ એપેડમિક ડ્રોપ્સી ના કારણે અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. જેને લઈ આરોગ્ય વિભાગે કૃષિ વિભાગને સાથે રાખી ખેડૂતો દારૂડી (સત્યનાશી) ના છોડને ઓળખતા થાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે.

દારૂડી (સત્યનાશી) નામની વનસ્પતિની ઓળખ
દારૂડી જે સત્યનાશી નામથી ઓળખાય છે. આ વનસ્પતિ રાયડાની સાથે જ મોટી થાય છે. જેની ઓળખ મોટાભાગના ખેડૂતોને થઈ શકતી નથી. દારૂડી એટલે કે સત્યનાશી ના બીજ પણ રાઇના દાણા જેવા જ હોય છે. જેથી જ્યારે રાયડાની લણણી કરવામાં આવે છે, ત્યારે તેની સાથે દારૂડીના બીજ પણ ભળી જતા હોય છે.

આ દારૂડીના બીજના ભેળસેળયુક્ત રાયડાના તેલનો ખોરાકમાં ઉપયોગ કરતા એપેડમિક ડ્રોપ્સી નો રોગ લાગે છે. દારૂડીમાં સેન્ગવીનેરીયન નામનું ઝેરી રસાયણ હોય છે.

એપેડમિક ડ્રોપ્સી રોગનાં લક્ષણો
એપેડમિક ડ્રોપ્સીના લક્ષણોની વાત કરવામાં આવે તો દર્દીના બંને પગે સોજા આવી જાય છે. આ રોગના ભોગ બનતા દર્દીને ઝાડા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ રોગના પ્રાથમિક લક્ષણોમાં હૃદયની તકલીફ અને આંખે ઝામર આવતા હોય છે.

એપેડમિક ડ્રોપ્સી રોગ અટકાવવા માટેના પગલાં
– ખેડૂતોએ લણણી સમયે દારૂડીના બીજ ભળે નહીં તેનું ધ્યાન રાખવું.
– રાઈના તેલનો ખોરોકમાં ઉપયોગ ટાળવો.
– બજારમાં મળતા પેકેજીંગ ફૂડ તેમજ રાઈના તેલનો ઉપયોગ ન કરવો.
– ખેડૂતોને રાઈ અને દારૂડીના બીજના તફાવત ની સમજૂતી આપવી.
– રાઈ નું તેલ ભેળસેળમુક્ત છે તેનું સર્ટિફિકેટ હોવું જરૂરી.

Published On - 7:18 pm, Fri, 6 August 21

Next Article