Banaskantha: અમીરગઢ નેશનલ હાઇવે પાસે ખાનગી બસ પલ્ટી, સર્જાયો મોટો અકસ્માત

Banaskantha: અમીરગઢ પાસે નેશનલ હાઇવે પાસે ખાનગી બસ પલ્ટી જતા અકસ્માત સર્જાયો છે. માહિતી પ્રમાણે અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 9:21 AM

બનાસકાંઠામાં અકસ્માતની ગોઝારી ઘટના બની છે. અમીરગઢ પાસે નેશનલ હાઇવે પાસે ખાનગી બસ પલ્ટી જતા અકસ્માત સર્જાયો છે. માહિતી પ્રમાણે અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. ત્યારે ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી કરી હતી.

મળેલી માહિતી પમાણે મોડીરાત્રે અમીરગઢ નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં લક્ઝરી બસ પલટી જતા આ ઘટનામાં 10 લોકો ઘાયલ થયા હતા. જણાવી દઈએ કે બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

અમીરગઢ હાઈવે પર અકસ્માત ખુબ વધી ગયા હોય એવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ ત્રિપલ અકસ્માત થયો હતો જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. દસેક દિવસ પહેલા જ થયેલા આ અકસ્માતમાં રોડ ઉપર ઉભેલા ટેલરને ખાનગી બસના ચાલકે ટક્કર મારી દીધી હતી. બાદમાં અન્ય ટ્રક બસની પાછળ ઘૂસી ગઈ હતી અને ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના પણ મોદી રાત્રે બની હતી. રાત્રીના 1 વાગ્યાને સુમારે અકસ્માત સર્જાતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. તે દરમિયાન પણ ઘાયલોને સારવાર અર્થે ખેસેડાયા હતા.

 

આ પણ વાંચો: Rain Alert: આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે

આ પણ વાંચો: લો બોલો, સ્મશાનમાં પણ કટકી? કામનો ચેક પાસ કરાવવા લાંચિયા સરકારી બાબૂઓએ માંગી આટલી લાંચ

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">