શામળાજી (Shamlaji) મંદિરમાં હવે જન્માષ્ટને લઈ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ભગવાન શામળીયાના મંદિરે આ દિવસે ગુજરાત અને રાજસ્થાનના ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. અહીં ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. આ તૈયારીઓ પહેલા જ શામળાજી મંદિરમાં હવે વધુ એક સુંદરતા ઉમેરાશે. મંદિર પરિસરમાં લાઈટ અને સાઉન્ડ શો (Light and sound show) નુ આયોજન કરવાની વ્યવસ્થા ઉભી કરાશે. રાજ્ય સરકારે આ માટે પાંચ કરોડ રુપિયા ફાળવી આપ્યા છે. શામળાજી મંદિર માટે આ સુંદર ભેટ માટે ગુજરાત સરકારે (Government of Gujarat) સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
આવનારી જન્માષ્ટમી પહેલા જ શામળાજી ના ભક્તો માટે સુંદર ભેટ આપી છે. આ માટેની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે. જેને લઈ હવે શામળાજી મંદિરને આ સુંદર ભેટને લઈ જાણકારી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ પ્રધાન પૂર્ણેશ મોદીએ આપ્યા હતા. શામળાજી મંદિર ટ્રસ્ટગણે રાજ્ય સરકાર અને પ્રધાન પૂર્ણેશ મોદીનો આભાર માન્યો હતો.
પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે ₹500 લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી તથા કેબિનેટ મંત્રી શ્રી @purneshmodi જીનો ખુબ ખુબ આભાર. pic.twitter.com/gwfZNpzx4d
— Siddharth Patel (@isiddharthpatel) August 1, 2022
શામળાજી મંદિર પરિસરમાં વિડીયો અને લેઝર સિસ્ટમ વડેનુ આયોજન ઉભુ કરાશે. જેમાં કન્ટેન્ટ મેનેજમેન્ટ અને કંટ્રોલ ઓડિયો સિસ્ટમ,સ્વિચીંગ અને કંટ્રોલ, તેમજ શોને માટે તેના અનુરુપ કન્ટેન્ટ તેમજ તેને નિહાળવા માટે જરુરી બેઠક વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. આમ સુંદર શો ભક્તો અને દર્શાનાર્થીઓને અહીં મળી રહેશે.
ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામના વિકાસ કાર્યોને હાથ ધરવામાં આવે છે. રાજ્યમાં મહત્વના મંદિરોના વિકાસ કાર્યને નિરંતર જારી રાખીને ભક્તો અને દર્શાનાર્થીઓની સુવિધાઓમાં વધારો કરવા સાથે તેમની સરળતાઓ પણ ઉભી કરવામાં આવે છે. આવી જ રીતે અરવલ્લી જિલ્લામા આવેલા શામળાજી મંદિરનો વિકાસ પણ ટ્રસ્ટ અને સરકારના તાલમેલને લઈ થઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટના ચેરમેન દીલીપભાઈ ગાંધીએ આ અંગે વિગત આપી હતી.
શામળાજી મંદિરની ચોતરફ ગીચતાને હટાવીને તેને વિશાળ અને સુંદર પરિસરમાં ફેરવવાનો શ્રેય તત્કાલીન ગૃહપ્રધાન અને વર્તમાનમાં લક્ષદ્વીપ અને દીવ-દમણના પ્રશાષક પ્રફુલ પટેલને ફાળે છે. તેઓએ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ મંદિરને સુંદર પરિસર ધરાવતુ બનાવવાની યોજના મુકી હતી. જેમાં રાજ્ય સરકારે વિશાળ ભેટ સ્વરુપ મંદિરના વિકાસના કાર્યે હાથ ધરાયુ હતુ. મંદિર અને શામળાજીની કાયા પલટાઈ ગઈ છે. જેને લઈ ભક્તો પણ એક દશક થી ખુશખુશાલી અનુભવી રહી છે. તેમાં પણ હવે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
Published On - 11:54 pm, Mon, 1 August 22