AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aravalli: વરસાદ ખેંચાવાને લઈ મોડાસામાં ખેડૂતોએ ચોવીસ કલાક ધૂન શરુ કરી, વરુણ દેવને રીઝવવા પ્રાર્થના

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદ ખેંચાયો છે. અંતિમ ત્રીસ દિવસમાથી 15 દિવસતો સાવ કોરા ધાકોર પસાર થયા છે. વરસાદ વિના હવે ખેડૂતો પરેશાન થવા લાગ્યા છે અને વરસાદ વરસે એવી રાહ જોઈ રહ્યા છે.

Aravalli: વરસાદ ખેંચાવાને લઈ મોડાસામાં ખેડૂતોએ ચોવીસ કલાક ધૂન શરુ કરી, વરુણ દેવને રીઝવવા પ્રાર્થના
ખેડૂતોએ ધૂન શરુ કરી
| Updated on: Aug 19, 2023 | 3:30 PM
Share

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતોને હવે પોતાના ખેતરમાં ઉભો પાક સુકાઈ જાય એવો ડર સતાવવા લાગ્યો છે. પશુપાલન પર નભતા ખેડૂત પરિવારોને પણ ચિંતા લાગી છે. જેને લઈ અરવલ્લીના મોડાસામાં સપ્તાહ અખંડ ધૂન શરુ કરીને વરુણદેવતાને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદ ખેંચાયો છે. અંતિમ ત્રીસ દિવસમાથી 15 દિવસતો સાવ કોરા ધાકોર પસાર થયા છે. વરસાદ વિના હવે ખેડૂતો પરેશાન થવા લાગ્યા છે અને વરસાદ વરસે એવી રાહ જોઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોટાભાગના જળાશયોમાં ખાસ પાણીની આવક પણ ચાલુ વર્ષે નોંધાઈ નથી.

ખેડૂતોએ ધૂન શરુ કરી

આમ ડેમ જળાશયમાં પણ પાણીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શક્યો નથી. આવી સ્થિતિમાં હવે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો માટે મુશ્કેલીઓ શરુ થઈ છે. ખેડૂતોને હવે ખેતરમાં ઉભો પાક પણ સુકાઈ જાય એવો ડર વ્યાપી રહ્યો છે. ખેડૂતોએ સોયાબીન, મગફળી અને કપાસ સહિતના પાકની ખેતી કરી છે. આ દરમિયાન હવે વરસાદ ખેંચાતા સરસ તૈયાર થયેલો પાક સિંચાઈના અભાવે મુરઝાઈ જાય એવી સ્થિતિ છે. જેને લઈ મોડાસા તાલુકાના ભવાનીપુરા કંપા ગામના ખેડૂતોએ ગામના નિષ્કલંકી નારાયણ દેવ ભગવાનની સમક્ષ સપ્તાહ અખંડ ધૂન શરુ કરી છે.

ગામના લોકોએ હવે ચોવીસે કલાક ધૂન શરુ કરી છે. આ માટે સાત દિવસનો અખંડ દિવો પ્રગટાવ્યો છે અને તેના સમક્ષ હવે ધૂન શરુ કરવામાં આવી છે. ભગવાનની સમક્ષ પ્રાર્થના કરવા માટે ગ્રામજનો ધૂન શરુ કરી છે. ખેડૂત અને ખેડૂતના પરિવારજન ગ્રામજનો રાત દિવસથી આ ધૂનની શરુઆત કરવામાં આવી છે. વરુણ દેવતા હવે જલદી રિઝે અને વરસાદ વરસાવે એમ પ્રાર્થના ગ્રામજનોએ શરુ કરી છે.

વરસાદની તાતી જરુરીયાત

ગામના લોકો ઈચ્છી રહ્યા છે કે,જો વરસાદ વરસે તો સ્થાનિક ખેડૂતોનો પોતાના પાકને જીવતદાન મળવા સાથે સ્થાનિક જળાશયોમાં જળસ્તરનો વધારો થશે. વિસ્તારમાં વરસાદ ખેંચતા મુશ્કેલી સર્જાઈ છે અને હવે વરુણ દેવતાની કૃપા જ ખેડૂતોના જીવમાં જીવ પુરી શકે છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">