Aravalli: વરસાદ ખેંચાવાને લઈ મોડાસામાં ખેડૂતોએ ચોવીસ કલાક ધૂન શરુ કરી, વરુણ દેવને રીઝવવા પ્રાર્થના

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદ ખેંચાયો છે. અંતિમ ત્રીસ દિવસમાથી 15 દિવસતો સાવ કોરા ધાકોર પસાર થયા છે. વરસાદ વિના હવે ખેડૂતો પરેશાન થવા લાગ્યા છે અને વરસાદ વરસે એવી રાહ જોઈ રહ્યા છે.

Aravalli: વરસાદ ખેંચાવાને લઈ મોડાસામાં ખેડૂતોએ ચોવીસ કલાક ધૂન શરુ કરી, વરુણ દેવને રીઝવવા પ્રાર્થના
ખેડૂતોએ ધૂન શરુ કરી
Follow Us:
| Updated on: Aug 19, 2023 | 3:30 PM

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતોને હવે પોતાના ખેતરમાં ઉભો પાક સુકાઈ જાય એવો ડર સતાવવા લાગ્યો છે. પશુપાલન પર નભતા ખેડૂત પરિવારોને પણ ચિંતા લાગી છે. જેને લઈ અરવલ્લીના મોડાસામાં સપ્તાહ અખંડ ધૂન શરુ કરીને વરુણદેવતાને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદ ખેંચાયો છે. અંતિમ ત્રીસ દિવસમાથી 15 દિવસતો સાવ કોરા ધાકોર પસાર થયા છે. વરસાદ વિના હવે ખેડૂતો પરેશાન થવા લાગ્યા છે અને વરસાદ વરસે એવી રાહ જોઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોટાભાગના જળાશયોમાં ખાસ પાણીની આવક પણ ચાલુ વર્ષે નોંધાઈ નથી.

ખેડૂતોએ ધૂન શરુ કરી

આમ ડેમ જળાશયમાં પણ પાણીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શક્યો નથી. આવી સ્થિતિમાં હવે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો માટે મુશ્કેલીઓ શરુ થઈ છે. ખેડૂતોને હવે ખેતરમાં ઉભો પાક પણ સુકાઈ જાય એવો ડર વ્યાપી રહ્યો છે. ખેડૂતોએ સોયાબીન, મગફળી અને કપાસ સહિતના પાકની ખેતી કરી છે. આ દરમિયાન હવે વરસાદ ખેંચાતા સરસ તૈયાર થયેલો પાક સિંચાઈના અભાવે મુરઝાઈ જાય એવી સ્થિતિ છે. જેને લઈ મોડાસા તાલુકાના ભવાનીપુરા કંપા ગામના ખેડૂતોએ ગામના નિષ્કલંકી નારાયણ દેવ ભગવાનની સમક્ષ સપ્તાહ અખંડ ધૂન શરુ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

ગામના લોકોએ હવે ચોવીસે કલાક ધૂન શરુ કરી છે. આ માટે સાત દિવસનો અખંડ દિવો પ્રગટાવ્યો છે અને તેના સમક્ષ હવે ધૂન શરુ કરવામાં આવી છે. ભગવાનની સમક્ષ પ્રાર્થના કરવા માટે ગ્રામજનો ધૂન શરુ કરી છે. ખેડૂત અને ખેડૂતના પરિવારજન ગ્રામજનો રાત દિવસથી આ ધૂનની શરુઆત કરવામાં આવી છે. વરુણ દેવતા હવે જલદી રિઝે અને વરસાદ વરસાવે એમ પ્રાર્થના ગ્રામજનોએ શરુ કરી છે.

વરસાદની તાતી જરુરીયાત

ગામના લોકો ઈચ્છી રહ્યા છે કે,જો વરસાદ વરસે તો સ્થાનિક ખેડૂતોનો પોતાના પાકને જીવતદાન મળવા સાથે સ્થાનિક જળાશયોમાં જળસ્તરનો વધારો થશે. વિસ્તારમાં વરસાદ ખેંચતા મુશ્કેલી સર્જાઈ છે અને હવે વરુણ દેવતાની કૃપા જ ખેડૂતોના જીવમાં જીવ પુરી શકે છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">