ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પહોંચ્યા, જુઓ VIDEO
ઓડીશાના પૂરી બાદ અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી નિકળતી રથયાત્રા દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે પારંપરિક જળયાત્રા નીકળી છે. જગન્નાથ મંદિરથી નિકળીને રથયાત્રા સાબરમતી નદીના કાંઠે સોમનાથ ભુદરના આરે પહોંચશે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ […]
ઓડીશાના પૂરી બાદ અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી નિકળતી રથયાત્રા દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે પારંપરિક જળયાત્રા નીકળી છે. જગન્નાથ મંદિરથી નિકળીને રથયાત્રા સાબરમતી નદીના કાંઠે સોમનાથ ભુદરના આરે પહોંચશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ જળયાત્રામાં 600 ધજા-પતાકા સાથે સંતો, મહંતો સામેલ છે. ત્યારે ભજનની સુરાવલીઓ રેલાવતી ભજનમંડળી અને ગજરાજે પણ ખાસ આકર્ષણ જમાવ્યું છે. સાબરમતી નદી તટે ગંગાપૂજન કરવામાં આવશે. ત્યારબાદ પવિત્ર ધાર્મિક સ્થાનોના પ્રતિકરૂપે 108 કળશમાં જળ લાવવામાં આવશે.
જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુ જગન્નાથજી અને ભાઈ બલરામનો મહાજળાઅભિષેક કરવામાં આવશે. તે પછી પ્રભુ ગજવેશ ધારણ કરશે. જગન્નાથજી મંદિરે પ્રભુ વર્ષમાં એક વખત જ ગજવેશમાં દર્શન આપે છે. જેથી ભક્તો મોટી સંખ્યામાં પ્રભુના ગજવેશ સ્વરૂપના દર્શન કરવા પહોંચશે.