અંકલેશ્વરમાં મહાકાળી ફાર્મા કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ, 3 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં

ભરૂચ : અંકલેશ્વર કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. મહાકાળી ફાર્મ કંપનીના પ્લાન્ટમાં આગ લાગી છે. હાલ ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 3:06 PM

ભરૂચ : અંકલેશ્વર (Ankleshwar)કેમિકલ કંપનીમાં ભીષણ આગ (Fire) લાગી છે. મહાકાળી ફાર્મા કંપનીના (Mahakali Pharma Company) પ્લાન્ટમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોલ્વન્ટમાં આગ લાગી હોવાનું હાલના સંજોગોમાં અનુમાન હતું. કામદારોની જાનહાની બાબતે હાલ કોઇ અહેવાલ મળ્યા નથી. પરંતુ આગ જોતા મોટી જાનહાનીના અંદાજિત સંકેતો મળી રહ્યા હતા. DPMCના ફાયર ફાયટરોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. આખરે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ મહાકાળી ફાર્મા કેમ કંપનીમાં શુક્રવારે સવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. આગ સોલ્વન્ટમાં લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની ચપેટમાં નજીકમાં આવેલી અન્ય એક કંપની પણ આવી. અને એક ટ્રક બાળીને ખાખ થઇ ગઈ હતી. 7થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સુધી આ આગના કારણે જાનહાનીના અહેવાલ હજુ સુધી સાંપડ્યા નથી.

 

આ પણ વાંચો : Ahmedabad: 3 જાણીતા બિલ્ડર જૂથ પર આવકવેરા વિભાગનું 150 અધિકારીઓ સાથેનું ઓપરેશન, 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા

આ પણ વાંચો : Mumbai: ભારતના સૌથી વધુ ગીચ શહેરોમાં મુંબઈ પ્રથમ સ્થાન પર જ્યારે વિશ્વમાં પાંચમા નંબરે, બેંગલૂરુ 10મા અને દિલ્હી 11મા ક્રમે છે

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">