સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી પર આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે ટ્વિટર પર વિવાદિત પોસ્ટ કરતા વિવાદ સર્જાયો હતો. ધારાસભ્યએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. અસહકાર ચળવળના સહભાગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, તેઓ આતંકવાદી પાંખનો ભાગ હતા અને સમાજવાદી નીતિઓની હિમાલય માટે જાણીતા હતા.’ આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વિવાદ વણસ્યો.
આપને જણાવી દઈએ કે આણંદના ભાજપના ધારાસભ્ય છે યોગેશ પટેલ.યોગેશ પટેલ ભાજપના મેન્ડેડ ઉપર પ્રથમ વખત ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા છે. પોસ્ટ પર વિવાદ થથા ધારાસભ્યએ પોસ્ટને સોશિયલ મીડિયા પરથી હટાવી હતી. અને પોતાના ટ્વીટ બદલ યોગેશ પટેલે સોશિયલ મીડિયામાં માફી પણ માગી. જેમાં તેણે અનુવાદમાં ભૂલ થઈ હોવાનુ કહ્યુ હતુ.
ધારાસભ્ય યોગેશ પટેલે નવી પોસ્ટ શેર કહ્યું કે, અનુવાદ કરવામાં મારી ભૂલ થઈ ગઈ છે.મારા માટે સુભાષચંદ્ર બોઝ આદરણીય અને સન્માનીય નેતા છે. હું મારી ભૂલ બદલ માફી માંગુ છુ.
Published On - 1:38 pm, Tue, 24 January 23