નવસારીના સદા તાલુકામાં સવારે અનુભવાયો 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
નવસારીમાં 21 સપ્ટેમ્બરના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉકાઈથી 40 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં નોંધાયું હતું. વાંસદા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ગયો છે
નવસારીમાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ વાંસદાથી 13 કિલોમીટર દૂર ડાંગ જિલ્લાના નાનાપાડા ગામમાં નોંધાયું હતું. વાંસદા તાલુકામાં એક જ મહિનામાં પાંચમી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..