
અમરેલીના ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આયોગે પાયલ ગોટીને રૂ.7.5 લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી વિશિષ્ટ સુનાવણી દરમિયાન આ મહત્વનો આદેશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પાયલ ગોટી લેટરકાંડને લઈને ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દાઓને આધારે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદની સુનાવણી દરમિયાન સમગ્ર મામલે માનવાધિકારના પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.
પાયલ ગોટી લેટરકાંડ બાદ પોલીસે કરેલી કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ખાસ કરીને ગેરકાયદે ધરપકડ અને પરેડ કરાવવાના આક્ષેપોને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે આયોગ દ્વારા મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગરમાં આયોજિત વિશિષ્ટ સુનાવણી દરમિયાન આયોગે સમગ્ર મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં પાયલ ગોટીને રૂ.7.5 લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો છે.
આયોગ દ્વારા સુનાવણી દરમિયાન વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનો વિગતવાર લેખિત હુકમ ટૂંક સમયમાં સામે આવવાની શક્યતા છે. લેખિત હુકમમાં કયા આધાર અને કારણોને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે તેની વધુ વિગતો સ્પષ્ટ થશે.
અમરેલીના પાયલ ગોટી લેટરકાંડને લઈને અગાઉથી જ રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા ચાલી રહી હતી. હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના રૂ.7.5 લાખના વળતર ચૂકવવાના આદેશથી સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.