અમરેલીમાં પોલીસ સ્ટેશનના તમામ 50 કર્મયારીઓની બદલી, SP નિર્લિપ્ત રાયનો નિર્ણય

અમરેલીમાં પોલીસ સામે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓની ફરિયાદોના પગલે આજે SP નિર્લિપ્ત રાયે સજાનો કોરડો વીંઝ્યો છે, આ તમામ કર્મચારીઓની હેડક્વાર્ટર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરાઈ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 3:20 PM

અમરેલી (Amreli) માં પોલીસ સામે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓની ફરિયાદોના પગલે આજે SP નિર્લિપ્ત રાયે સજાનો કોરડો વીંઝીને એક જ પોલીસ સ્ટેશન (police station) ના 50 જેટલા કર્મચારીઓની બદલી (Transfer)  કરી નાખી છે. એક સાથે આખા પોલીસ સ્ટેશનના કર્ચારીઓની બદલી કરાતાં પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

રાજ્યભરમાં પોલીસની કામગીરી સામે આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે શિસ્તપાલન માટે સજાના ભાગ રૂપે આ બદલીએ કરાઈ છે. કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ કરાતી હોવાના આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવતા હતા જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

અમરેલીના SP નિર્લિપ્ત રાયે આજે કડક નિર્ણય લઈને આખા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરી નાખી છે. એક સાથે 50 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ કર્મચારીઓની હેડક્વાર્ટર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરાઈ છે.

સુરતમાં પણ એક પોલીસ્ટેશનના 104 કર્મચારીઓની સાગમટે બદલી કરાઈ હતી

સુરતના સપાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓની સાગમટે બદલી કરી દેવામાં આવી હતી. જેમાં PI સહિત 104 પોલીસકર્મીઓની બદલી કરી અન્ય જગ્યા પર મોકલી અપાયા હતા. રાત્રી કરફ્યૂ દરમિયાન પોલીસે સાત લોકોને માર માર્યો હતો. જે મામલે હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે ઘટનાની ગંભીરતાને જોઇ પોલીસ પાસે આ મામલે જવાબ માગ્યો. પરંતુ ત્રણ વખત સમય આપ્યા હોવા છતાં પોલીસે જવાબ રજૂ નહોતો કર્યો. તેથી હાઇકોર્ટે આદેશ કર્યો અને હાઇકોર્ટના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરે આ મોટો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચોઃ ગુનાખોરીનું એપીસેન્ટર: સુરત પોલીસ કમિશનરે કહ્યું શહેરમાં ફેબ્રુઆરીના 17 દિવસમાં 11 હત્યા થઈ

આ પણ વાંચોઃ Surat : પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમીને ઝડપ્યો

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">