AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં સનાતન ધર્મ થયો શર્મસાર, વૃદ્ધ સંત સામે વિધર્મી હોવાનો આરોપ લગાવી કથિત સાધુએ કર્યુ ન કરવાનુ કૃત્ય-  જુઓ Video

અમરેલીમાં સનાતન ધર્મને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અમરેલીના ભગુડા ગામ નજીક આવેલા ભોયરાધારનો વીડિયો સામે આવ્યો છે. જેમા અર્જુનગીરી નામના કથિત સાધુએ તેની સાધુ લજવી છે. ગિરનારીબાપુ નામના સાધુ પર વિધર્મી હોવાનો આરોપ લગાવી તેને અપશબ્દો કહ્યા અને ન કરવાનુ દુષ્કૃત્ય કર્યુ. જેના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

| Updated on: Nov 18, 2024 | 4:22 PM
Share

અમરેલીના ભગુડા ગામ નજીક આવેલા ભોયરાધાર ગામેથી એક સનાતન ધર્મને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં અર્જુનગીરી નામનો માથાભારે શખ્સ જે ખુદને સાધુ ગણાવે છે તેમણે ગિરનારી બાપુ નામના સાધુને પહેલા ઢોર માર્યો. ગિરનારી બાપુ વિધર્મી હોવાનો આરોપ લગાવી તેને અપશબ્દો કહ્યા અને ઢોર માર્યો માર્યો. આટલેથી પણ ન અટક્તા સરાજાહેરમાં અર્જુનગીરીએ ગિરનારીબાપુની જટા પણ કાપી નાખી. ઉપરાંત તેમની પાસે રહેલા મોબાઈલ અને રોકડ રકમ પણ ઝૂંટવી લીધા. આ સમગ્ર મામલે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને આધારે હળવદથી આરોપી અર્જુનગીરી અને તેના સાગરીતની ધરપકડ કરી લેવાઈ છે.

આવા અસુરોને ફાંસીએ દેવા જોઈએ: રામેશ્વરગીરી હરિયાણી

ભગુડા ગામથી સામે આવેલા સાધુને માર મારતા આ વીડિયોથી સમગ્ર સંત સમાજમાં રોષ ફેલાયો છે અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સાધુઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે. સાધુ માટે તેની જટા પવિત્ર ગણાતી હોય છે ત્યારે અર્જુનગીરી નામના લેભાગુ સાધુએ ગીરનારી બાપુ પર માત્ર આરોપના આધારે તેની જટા કાપી નાખી તેના આત્મા પર કુઠારાઘાત કર્યો છે. રામેશ્વર બાપુ હરિયાણીએ અર્જુનગીરીના આ કૃત્યને સાધુતાને ન શોભે તેવુ ગણાવ્યુ અને તેને સાધુ તો કેવી રીતે કહેવા તેવા પણ સવાલ ઉઠાવ્યા. તેમણે જણાવ્યુ કે સૌપ્રથમ તો લૂંટે તેને સાધુ જ ન કહેવાય, ભલે તે સાધુના વેશમાં હોય કે અન્ય વેશમાં હોય. જે સમાજને લૂંટે તેને ડાકુ જ કહેવાય, તેની નરાધમમાં જ વ્યાખ્યા કરાય તેને સાધુ ન ગણી શકાય. વધુમાં તેમણે જણાવ્યુ કે આવા અસુરો સમાજ માટે પણ જોખમી છે, તેમને ફાંસી જ આપી દેવી જોઈએ. અહીં વીડિયોમાં આપને સંભળાવી પણ ન શકીએ એ હદે આ માર મારનાર કથિત સાધુ અપશબ્દો બોલી રહ્યા છે ત્યારે રામેશ્વર ગીરીએ તો તેને સાધુ ગણવાનો પણ ઈનકાર કર્યો છે.

વૃદ્ધ સાધુ પરનો આ હુમલો સનાતનની આસ્થા પરનો હુમલો: જ્યોતિર્નાથ બાપુ

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વૃદ્ધ ગીરનારીબાપુ તેની સામે કરગરી રહ્યા છે છતા અર્જુનગીરી નિર્દય બનીને તેમને મારતો જોવા મળે છે. આ સમગ્ર મામલે જ્યોતિર્નાથ બાપુએ જણાવ્યુ કે કોઈપણ સંજોગોમાં આ કૃત્ય સ્વીકાર્ય નથી અને તેને ચલાવી ન લેવાય. સાધુની ચોટી કાપવાનો માત્ર તેના ગુરુને જ અધિકાર છે અન્ય કોઈને નહીં. પરંતુ જો અર્જુન ગીરી ખરેખર સાધુતાને વરેલો હોત તો તે આ પરંપરા જાણતો હોત પરંતુ આ તો સાધુ કહેવાને જ લાયક નથી. વધુમાં જ્યોતિર્નાથ બાપુએ કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ વારંવાર સાધુઓ પર હુમલા અને અન્ય લોકોને માર મારવાની ઘટના છાશવારે સામે આવી રહી છે ત્યારે તેમને પોષનારા તત્વો કોણ છે તે તપાસનો વિષય છે.

જ્યોતિર્નાથ બાપુએ જણાવ્યુ કે આ કથિત સાધુ અર્જુનગીરીને સમાજે, ગીરી સમાજે અને પોલીસે પણ કડક હાથે કામ લઈ સજા કરવી જોઈએ. સમગ્ર ઘટનાને તેમણે આસ્થા પર હુમલો ગણાવ્યો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">