અમદાવાદમાં શહેર પોલીસે માત્ર 20 વેપારીઓને જ ફટાકડા વેચવાની મંજૂરી આપી છે. જ્યારે ફાયર વિભાગે 300 જેટલા વેપારીઓને NOC આપી છે. આ આંકડો ચોક્કસ નવાઇ પમાડે તેવો છે. શહેરમાં બિલાડીની ટોપની જેમ ફટાકડાનું વેચાણ કરતા લોકો નજરે પડી રહ્યા છે ત્યારે અહી સવાલ એ સર્જાય છે કે શું આ તમામ લોકોએ પોલીસ વિભાગની મંજૂરી લીધી હશે ? દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું મહત્વ રહેલું છે જોકે તંત્રની મંજૂરી વગર ફટાકડા વેચતા લોકો પર લગામ કસાય તે પણ એટલું જ જરૂરી છે જોકે આ મુદ્દે શહેર પોલીસ વિભાગના અધિકારીઓએ કેમેરા સામે બોલવાનું ટાળ્યું તો ફાયર વિભાગના અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે તેઓનું કામ માત્ર NOC આપવાનું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો