અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા મામલે વિવાદ સર્જાયો છે અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતનાં સાધુ સમાજે રોષ વ્યક્ત કરતા સરકાર પર નિશાન સાધ્યું છે. સાધુ સમાજે આક્ષેપ કરતા કહ્યું છે કે રથયાત્રા કાઢવાની પરવાનગી ન આપવા મુદ્દે મંદિર સંચાલકો સાથે રમત રમાઇ ગઇ છે. વ્યથિત હ્રદયે દિલીપદાસજી મહારાજે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું […]
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા મામલે વિવાદ સર્જાયો છે અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતનાં સાધુ સમાજે રોષ વ્યક્ત કરતા સરકાર પર નિશાન સાધ્યું છે. સાધુ સમાજે આક્ષેપ કરતા કહ્યું છે કે રથયાત્રા કાઢવાની પરવાનગી ન આપવા મુદ્દે મંદિર સંચાલકો સાથે રમત રમાઇ ગઇ છે. વ્યથિત હ્રદયે દિલીપદાસજી મહારાજે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને તેઓનો ભરોસો તૂટ્યો હોવાનો ખુલાસો કર્યો છે. દિલીપદાસજી મહારાજનું માનવું છે કે ભગવાન સૌના છે માત્ર મહંતના નહી. તો બીજી તરફ મહામંડલેશ્વર લક્ષ્મણ દાસજી મહારાજે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે કે તમામ લોકો રાજીનામું આપે નહીંતર અમે દેશભરમાં મોટા પાયા પર આંદોલન ચલાવીશું.