અમદાવાદ જિલ્લાના ગામોમાં ખેડૂતોને થયેલા નુકસાનની માહિતી લેવા કોંગ્રેસ જમીન પર ઉતરી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું ખેડૂતોને ઉપર લાવવા હોય તો ખેડૂતોની વચ્ચે આવવું જરૂરી,એસી કેબિનમાં બેઠેલી સરકાર ખેડૂતોની વેદના સમજતી નથી
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદ જિલ્લાના ગામોમાં ખેડૂતોને થયેલા નુકસાનની માહિતી લેવા નીકળ્યા હતા જ્યાં તેઓ પહેલા ધોળકા ખાતે ગયા હતા. જ્યાં તેઓ ટ્રેક્ટરમાં બેસીને ખેતરમાં માહિતી મેળવવા ગયા હતા જ્યાં ખેડૂતોએ તેમની વેદના વ્યક્ત કરી હતી, આ સમયે અમિત ચાવડાએ કહ્યુ કે, એસી કેબિનમાં બેઠેલી આ સરકાર ખેડૂતોની વેદના સમજતી નથી. ખરેખર જો […]
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદ જિલ્લાના ગામોમાં ખેડૂતોને થયેલા નુકસાનની માહિતી લેવા નીકળ્યા હતા જ્યાં તેઓ પહેલા ધોળકા ખાતે ગયા હતા. જ્યાં તેઓ ટ્રેક્ટરમાં બેસીને ખેતરમાં માહિતી મેળવવા ગયા હતા જ્યાં ખેડૂતોએ તેમની વેદના વ્યક્ત કરી હતી, આ સમયે અમિત ચાવડાએ કહ્યુ કે, એસી કેબિનમાં બેઠેલી આ સરકાર ખેડૂતોની વેદના સમજતી નથી. ખરેખર જો એમણે ખેડૂતોને ઉપર લાવવા હોય એમને સહાય કરવી હોય તો ખેડૂતોની વચ્ચે આવવું જરૂરી છે. સાથે રાજ્યના કેબિનેટ મંત્રીનો આ મત વિસ્તાર છે હવે તેઓ પણ જો અહિયાં ખેડૂતોની વેદના સમજવા ન આવતા હોય તો ખેડૂતોની સ્થિતિ કેવી છે રાજ્યમાં એ સમજી શકાય છે તેવો આરોપ અમિત ચાવડાએ લગાવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો