અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. અને શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે શહેરમાં કુલ 191 પાણીની ટાંકીઓ આવેલી છે. જેમાં 118 પાણીની ટાંકીઓનો ઉપયોગ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ‘મહા’ એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા અને પુનાથી 17 જેટલી ટીમ આવશે ગુજરાત
જ્યારે 73 જેટલી ટાંકીઓ ઔડા અને નગરપાલિકાઓ દ્વારા બનાવવામાં આવી છે જે ટાંકીઓ હાલ બિન ઉપયોગી છે. જેમાંથી 26 ટાંકીઓ ઉતારી લેવામાં આવી છે. તો વધારાની ટાંકીઓને ઉતારી દેવા માટે સુચના પણ હવે આપી દેવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો