ખેડૂતોને અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડના આક્ષેપો અને ટીવીનાઈના રિપોર્ટ બાદ હવે તપાસના આદેશો અપાયા છે. કૃષિ પ્રધાન દ્વારા તપાસના આદેશો કરાયા છે. આ અંગે આર.સી ફળદુ દ્વારા કલેક્ટરને તમામ બાબતે તપાસની સૂચના આપી છે. ટીવી નાઈન સતત આ અંગે લોકો સુધી માહિતી પહોંચાડી રહ્યું છે. ટીવી નાઈનના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. કૌભાંડમાં ખેડૂતોના નામે ફોર્મ ભરવામાં આવ્યા અને બેંક એકાઉન્ટ અન્ય લોકોના હોવાની વાત સામે આવી છે. તો કેટલાક એવા ફોર્મ પણ ભરાયા છે. જે ખેડૂત પણ નથી. જો કે, શું આ કોઈ ટેક્નિકલ ખામી છે કે, ઈરાદા પૂર્વક કૌભાંડ છે. તે તપાસ બાદ ખબર પડશે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં 1200 કરોડની કૃષિ સહાયમાં કૌભાંડ! ખેડૂતોના ફોર્મમાં બેંક એકાઉન્ટ નંબર અલગ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો