અદાણી કેસને લઈ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ રસ્તાથી લઈ સંસદ સુધી વિરોધ કરી રહ્યું છે. આજે સમગ્ર દેશમાં એલ.આઈ.સી કચેરી બહાર કોંગ્રેસે દેખાવો પણ યોજ્યા. કોંગ્રેસ અને 13 વિપક્ષી પાર્ટીઓ જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગ પણ કોંગ્રેસ કરી રહ્યું છે. સંસદના બંને ભવનના સભ્યોને સમાવતી આ જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી શું છે એ સમજીએ.
જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સંસદની એક કમિટી છે. જેમાં તમામ પક્ષોને સમાન ભાગીદારી મળે છે. લોકસભા-રાજ્યસભામાં જે પાર્ટીની જેટલી ટકાવારી એટલી સંખ્યામાં જેપીસીમાં ભાગીદારી મળે છે. એમાં કેટલા સભ્ય હોય એ કંઈ નિશ્ચિત નથી હોતું. જેપીસીના એ અધિકાર હોય છે કે તે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે કોઈપણ એ પક્ષ કે જેની સામે આક્ષેપો છે અને એની તપાસ માટે જેપીસીની નિમણૂક થઈ છે એને બોલાવી શકે છે અને એ વ્યક્તિ, પક્ષ કે સંસ્થા જો જેપીસી સમક્ષ હાજર નથી થતા તો એ સંસદની અવમાનનાના ઉલ્લંઘન સમાન બનશે. જે કેસ ચાલી રહ્યો છે એ સંદર્ભમાં જેપીસી વ્યક્તિ કે સંસ્થા પાસેથી લેખિત, મૌખિક કે પછી બંનેમાં જવાબ માંગી શકે છે.
જેપીસીનું ગઠન લોકસભામાં બહુમત સાથે કરવામાં આવે છે. સરકાર ઈચ્છે તો જ જેપીસીનું ગઠન થઈ શકે છે. હાલની સ્થિતિમાં સરકાર પોતે જેસીપી ગઠન ઇચ્છતી ના હોય એમ લાગી રહ્યું છે. આ સિવાય જેસીપીના અધ્યક્ષ સત્તા પક્ષના અને બહુમત સભ્યો પણ સત્તા પક્ષના જ હોવાના કારણે સામાન્ય રીતે સરકારનો પ્રભાવ રિપોર્ટ પર વધારે જોવા મળતો હોય છે.
આ પણ વાંચો : Ahmedabad: અદાણી કેસમાં JPC રચવાની માગ સાથે રાજ્યભરમાં LIC કચેરી સામે કોંગ્રેસે કર્યા દેખાવો
2024 લોકસભા ચૂંટણી પૂર્વે 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે. જેને લોકસભા પૂર્વેની સેમિફાઇનલ માનવામાં આવે છે. અધ્યક્ષ સિવાય એ પૂર્વ અન્ય સભ્યો જાહેરમાં કે મીડિયા માં આવી કંઈ બોલી જાય તો બદનામી થઈ શકે. આ સિવાય કમિટી બની હોય તો એમાં શું સામે આવ્યું એ પ્રશ્ન ઉભો જ રહે એટલા માટે પણ સરકાર ના ઈચ્છે કે જેપીસી નું ગઠન થાય.