બેંકોના ખાનગીકરણ સામે ભારત ભરમાં બે દિવસીય બેન્ક બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે અમદાવાદ ખાતે પણ બેન્ક કર્મચારીઓ બંધમાં જોડાયા. જેમાં આશ્રમ રોડ પર આવેલ કેનેરા બેન્કના ઓફિસર્સ અને કર્મચારીઓએ હડતાળ પાડી ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો હતો.
આશ્રમ રોડ પર ઇન્કમટેક્ષ પાસે કેમેરા બેંકની રિઝનલ ઓફિસ ખાતે ઓફિસર અને કર્મચારીઓ એકઠા થયા હતા. જ્યાં તેઓએ સરકાર સામે નારા લગાવી પોતાની માંગ રજૂ કરી. જે માંગમાં બેન્ક બિલ વિરોધ અને પેંશન યોજનાને અપડેટ કરવાની માંગ. જૂની પ્રાઇવેટ બેન્કને નેશનલાઈઝ કરવાની માંગ હતી.
તો ખાનગીકરણ થતા કર્મચારીની નોકરી જઈ શકે છે તેમજ અન્ય અસર પડી શકવાની ભીતિ સાથે પણ બેન્ક કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. હડતાળ કરનારનું માનવું છે કે લોકોના નાણાં ખાનગીકરણ થતા સુરક્ષિત નહિ રહે. તો ખાનગીકરણ થતા ગામડે ગામડે સેવા નહિ પહોંચે અને ખાનગી બેન્ક ચાર્જ વધારે તો લોકોને હાલાકી પડે તેની સામે વિરોધ છે. તેમજ પબ્લિકના નાણા પબ્લિક પબ્લિક સેકટર બેન્ક પાસર વધારે સુરક્ષિત રહે તે માંગ સાથે છે ઓફિસર અને કર્મચારીઓનો વિરોધ હતો.
તો આ તરફ 16 અને 17 ડિસેમ્બર હડતાળ પાડી કેટલાક એસોસિએશનને રેલી કાઢી વિરોધ નોંધાવ્યો. બેંકોના ખાનગીકરણ ને અટકાવવા અધિકારી અને કર્મચારીઓ ની માંગ સાથે આજે શહેરમાં રેલી નિકળી હતી. ખાનપુર જેપી ચોકથી આશ્રમ રોડ વલ્લભ સદન સુધી બેન્ક કર્મચારી અને અધિકારીઓર રેલી કાઢી વિરોધ નોંધાવ્યો. જેમાં બેંક કર્મચારીઓ પોતાના બે દિવસનો પગાર કપાવી પણ હડતાલમાં જોડાયા.
રેલી કાઢનાર કર્મચારીઓનું માનવું છે કે બેંકોના ખાનગીકરણ થી જનતા અને યુવાપેઢીને નુકસાન થશે. અને જો ખાનગીકરણ અટકાવવામાં નહીં આવે તો આગળ આક્રમક પગલાં લેવામાં આવશે તેવી પણ ચીમકી હડતાળ પાડનારે ઉચ્ચારી. મહત્વનું છે કે આ બે દિવસીય હડતાળમાં ગુજરાતમાં 4800 શાખાના 70 હજાર કર્મચારી હડતાળ પર છે. જે બે દિવસીય હડતાળને પગલે 20 હજાર કરોડના વ્યવહાર પર અસર પડશે. જે મોટી બાબત ગણી શકાય.
એટલું જ નહીં પણ અગાઉ પણ બેન્ક કર્મચારીઓ પોતાની માંગ સાથે હડતાળ પાડી ચુક્યા છે. તેમજ વિરોધ નોંધાવી ચુક્યા છે જોકે તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નહિ આતા આજે ફરી એક વાર બેન્ક અધિકારી અને કર્મચારીઓએ બે દિવસીય હડતાળ પડી વિરોધ નોંધાવી પોતાની માગ રજૂ કરી.