અમદાવાદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર આવશે પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો આ નિર્ણય
જાહેર સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ના થાય એ માટેની જવાબદારી ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે.
Single use plastic
Follow us on
અમદાવાદ (Ahmedabad) માં સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single use plastic) પર સંપૂર્ણ પ્રતિબંધ આવી રહ્યો છે. આ સાથે 75 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વેચાણ કરતા એકમો પર પાલિકાની ટીમે તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે. પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રણમાં લાવવા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે (Ahmedabad Municipal Commissioner) એક મોટો નિર્ણય કર્યો છે. જાહેર સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ના થાય એ માટેની જવાબદારી ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. અમદાવાદની ખાણીપીણીની દુકાનો, ગિફ્ટ આર્ટીકલ તેમજ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનો પર મનપાની સોલિડ વેસ્ટ વિભાગની ટીમે તપાસ હાથ ધરી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. શહેરમાં ખાસ કરીને ખાણીપીણી માર્કેટ, શાકભાજી માર્કેટ સહિત અન્ય અનેક વિસ્તારમાં આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ બેરોકટોક થતો જોવા મળી રહ્યો છે તેને નિયંત્રણમાં લેવા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પ્રતિબંધ મુકવા પાછળનું કારણ એ છે કે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક હેલ્થ માટે હાનિકારક છે. આવા પ્લાસ્ટિક ગરમ વસ્તુઓમાં ભળીને શરીરમાં જાય છે, જેને કારણે બીમારીઓ વધી રહી છે. ત્યારે એ પણ જાણી લો કે હવે 31મી ડિસેમ્બર 2022 બાદ અમદાવાદમાં 120 માઇક્રોનથી પાતળી કેરીબેગનો પણ ઉપયોગ નહિ કરી શકાય. આ પ્લાસ્ટિકની કેરીબેગના વેચાણ, ઉપયોગ, સંગ્રહ અને ઉત્પાદન સામે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગૂંથાયેલી ન હોય તેવી કેરીબેગ પણ 60 ગ્રામ પ્રતિ. ચોરસ મીટરથી ઓછી ન હોવી જોઇએ તેવી સ્પષ્ટ જોગવાઇ થઇ છે.