“જો હું ભાજપમાં રહ્યો હોત તો નરેન્દ્રભાઈનો માર્ગ આટલો આગળ ન વધતો…”- શંકરસિંહ વાઘેલા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત મોડલ અને વડાપ્રધાન મોદીની નીતિઓની ખૂબ ટીકા કરે છે, પરંતુ તેમના વ્યક્તિગત સંબંધો પણ ઘણા મજબૂત છે. વડાપ્રધાન મોદી પહેલા ગુજરાતના સીએમ બનેલા શંકરસિંહ વાઘેલાએ એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે તેઓ સેલ્ફ રિસ્પેક્ટવાળા છે.

જો હું ભાજપમાં રહ્યો હોત તો નરેન્દ્રભાઈનો માર્ગ આટલો આગળ ન વધતો...- શંકરસિંહ વાઘેલા
| Updated on: Feb 19, 2026 | 5:18 PM

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું થોડા દિવસ પહેલા આપેલુ એક મોટુ નિવેદન સામે આપ્યું છે. 85 વર્ષીય વાઘેલાએ એક ઈન્ટરવ્યુમાં, જણાવ્યું હતું કે જો તેઓ ભાજપમાં હોત, તો કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલા આગળ ન વધી શકત. વાઘેલાએ એવું સૂચવવાનો પ્રયાસ કર્યો કે તેઓ ભાજપમાં રહ્યા હોત તો મોદી કદાચ મુખ્યમંત્રી અને પછીથી વડાપ્રધાન ન બની શક્યા હોત. શંકરસિંહ વાઘેલાએ 1995 માં ભાજપ સામે બળવો કર્યો હતો, 47 ધારાસભ્યોને લઈને તેમણે દબાણ ઉભુ કર્યુ હતુ. બાદમાં તેઓ કોંગ્રેસના સમર્થનથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વાઘેલા એવા ગુજરાતી નેતાઓમાંના એક છે જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) થી જાહેર જીવનની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવ્યું હતું.

શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું?

એક મુલાકાતમાં, શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે તેઓ સેલ્ફ રિસ્પેક્ટ વાળા છે. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાનું બધું ગીરવે મૂકીને રાજનતિ કરનારા લોકોમાંના નથી. વાઘેલાએ કહ્યું હતું કે તેઓ કંઈ ઇચ્છતા નથી. વાઘેલાએ કહ્યુ કે તેઓ પોતાના ફાયદા માટે સત્તામાં આવ્યા નથી. અમે ખરેખર સામાન્ય લોકો માટે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો છે. વાઘેલાએ એક પ્રશ્નના જવાબમાં આગળ કહ્યું, “અને તેમણે જે કંઈ કર્યું, તમે સાચા છો. જો અમે ભાજપમાં હોત, તો નરેન્દ્રભાઈનો માર્ગ કદાચ આટલો આગળ ન વધ્યો હોત જે આજે વધ્યો છે.” શંકરસિંહ વાઘેલા કહે છે કે તેઓ રાજપૂત અને ક્ષત્રિય છે, અને ખોટી રીતે સમાધાન કરી શકતા નથી. તેઓ કહે છે કે આ તેમના ડીએનએમાં એક સમસ્યા છે. વાઘેલા કહે છે કે ભલે તેમને પૃથ્વી પણ મળી જાય તો પણ નથી જોઈતુ.

વાઘેલાએ જણાવ્યુ કેમ બન્યા મુખ્યમંત્રી?

વાઘેલાએ મુખ્યમંત્રી તરીકેની પોતાની નિમણૂક અને કોંગ્રેસના સમર્થન વિશે પણ વાત કરી. તેઓ કહે છે કે સરકાર બનાવવી એ ઉદ્દેશ્ય નહોતો, કારણ કે કોઈ પણ ધારાસભ્ય પાંચ વર્ષ પહેલાં ઘરે જવા માંગતો નથી. તેથી, તેઓ મુખ્યમંત્રી બન્યા અને સરકાર બની. આ ધારાસભ્યોના દબાણને કારણે થયું. નોંધનીય છે કે શંકરસિંહ વાઘેલા એ વ્યક્તિ છે જેમણે ગુજરાતના રાજકારણમાં છેલ્લા બળવાને અંજામ આપ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેઓ પીએમ મોદી અને ગુજરાત મોડેલના ટીકાકાર તરીકે ઉભરી આવ્યા છે. વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધીને પણ પોકળ ગણાવી છે. તેમનું કહેવું છે કે ગાંધી અને સરદારના નામે દારૂબંધીના કાયદા હવે અમલી ન રાખવો જોઈએ.

પીએમ મોદી સાથે વ્યક્તિગત સંબંધ

21 જુલાઈ, 1940 ના રોજ જન્મેલા વાઘેલાએ રાજકારણમાં લાંબી ઈનિંગ રમી છે. તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યક્તિગત રીતે સારા સંબંધો હોવાનું માનવામાં આવે છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે પીએમ મોદીની માતા હીરાબાનું ડિસેમ્બર 2022 માં અવસાન થયું ત્યારે શંકરસિંહ વાઘેલા પીએમ મોદી સાથે તેમના અંતિમ સંસ્કારમાં હાજર હતા. વાઘેલાને ગુજરાતના રાજકારણમાં બાપુ તરીકે ઓળખવામાં આવે છે. જન સંઘ પછી, વાઘેલાએ જનતા પાર્ટી અને પછી ભાજપમાં સેવા આપી. તેમણે કોંગ્રેસમાં રહીને પણ રાજનીતિ કરી.એટલું જ નહીં, તેમણે બે વાર પોતાની પાર્ટી પણ બનાવી. પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલાં, વાઘેલાએ 23 ઓક્ટોબર, 1996 થી 27 ઓક્ટોબર, 1997 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

અભિષેક બચ્ચનને Kiss પણ કરી, ટ્રોલિંગથી નથી ડરતો આ અભિનેતા, ઈન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર વિના બનાવી છે ઓળખ