વાહન, મોબાઈલ જેવી નાની ચોરીઓની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવો નહીં પડે, ઘરે બેઠાં નોંધાવી શકાશે e-FIR
રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વાહન પોલીસ ફરિયાદ કરવા માતે સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન પર નવી સુવિધા શરૂ કરી છે.
જો તમારું વાહન કે મોબાઈલ ચોરી થયા છે અને પોલીસ (Police) ફરિયાદ નથી લેતી કે નાણાં માંગે છે તો તે હવે નહિ ચાલે. કેમ કે રાજ્ય પોલીસ વિભાગ (Police Department) દ્વારા ઓનલાઈન ફરિયાદ (Online FIR) સુવિધા શરૂ કરાઈ છે. જેમાં ફરિયાદી જાતે ફરિયાદ કરી શકશે અને નક્કી કલાકમાં ફરિયાદ (FIR) નો નિકાલ નહિ આવે તો સંબંધિત અધિકારી સામે કાર્યવાહી પણ થશે. અને જો ફરિયાદી એ ખોટી ફરિયાદ કરી તો તેઓની પણ ખેર નથી.
જી હાં. હવે લોકોએ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે ધક્કા ખાવા નહિ પડે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વાહન પોલીસ ફરિયાદ કરવા માતે સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન પર નવી સુવિધા શરૂ કરી છે. જે છે e-fir. જેના મારફતે લોકો ઘરે બેઠા ઓનલાઇન પોલીસ ફરિયાદ કરી શકશે. હાલ આ સુવિધા વાહન અને મોબાઇલ ચોરીને લઈ કરાઈ છે. આ સુવિધા શરૂ કરવા પાછળ અત્યાર સુધી લોકોને પોલીસ ફરિયાદ કરવામાં હાલાકી પડતી હતી. તેમજ ક્યાંક નાણાં લેવાઇ રહ્યા છે તેવા પણ આક્ષેપ ઉઠતા હતા. આ આક્ષેપો ડામવા અને લોકો ને સુવિધા આપવા પોલીસ વિભાગ દવારા ઓનલાઇન સુવિધા શરૂ કરાઇ છે. જેના મારફતે લોકો ઓનલાઇન ફરિયાદ કરી શકશે.
જો નક્કી કરેલ સમયમાં ફરિયાદ નિકાલ નહિ થાય તો જવાબદાર અધિકારી સામે ભરાશે પગલાં.
e-fir સુવિધાનો લાભ લેવા ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર જવાનું રહેશે. જેમાં ગયા બાદ પહેલા પોર્ટલ પર ફરિયાદી એ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે બાદ ફરિયાદી e fir સુવિધાનો લાભ લઇ શકશે. જે કર્યા બાદ e અરજી પર જતા રજીસ્ટર કરાવેલ વિગત બતાવશે. જે વિગત નીચે ટાઈપમાં એપ્લિકેશન ઇન્ફોર્મેશન અને સાયબર ક્રાઈમ માંથી એક ઓપશ સિલેક્ટ કરવાનું અને બાદમાં શહેર અને પોલીસ સ્ટેશન પસંદ કરવાનું અને બાદમાં ઘટના બન્યાની તારીખ અને ઘટનાને લાગતી વિગત લખવાની રહેશે અને બાદમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ કરવાનું રહેશે. અને તે કર્યા બાદ અરજી ફાઇલ થઈ જશે અને તે અરજી કર્યાના 48 કલાકમાં પોર્ટલ વિભાગ માંથી જરૂરી વેરિફિકેશન કરી ફરિયાદ આગળ વધારવામાં આવશે અને ડોક્યુમેન્ટમાં અભાવ હશે તે અરજી કેન્સલ થશે. જેથી કોઈ ખોટી ફરિયાદ ન થાય. અને જે ફરિયાદ કરી હોય તેના પર 48 કલાકમાં રિસ્પોન્સ કરવાનો રહેશે અને તેના 24 કલાક બાદ ફરિયાદ નિકાલ કરવાનો રહેશે. તો પાંચ દિવસ સુધી કઈ નહિ થાય તો એફઆઈઆરનો રનિંગ નમ્બર જાહેર કરાશે. અને જો પાંચ દિવસમાં ફરિયાદ નિકાલ નહિ થાય તો ઉચ્ચ અધિકારીને તેની જાણ કરાશે અને એસીપી અને તે બાદ ડીસીપી લેવલના અધિકારીએ મામલો પહોંચશે. અને તેમ છતાં કોઈ પણ નિકાલ નહિ આવે તો જવાબદાર અધિકારી સામે પગલાં પણ ભરાઈ શકે છે.
પીઆઈથી લઈને ડીસીપી લેવલના અધિકારી સુધી તાલીમ પણ આપવામાં આવી
3 જૂને રાજ્યના ગૃહ મંત્રીએ આ સંદર્ભે ઠરાવ કર્યો છે. તેમજ રાજ્યના પીઆઈથી લઈને ડીસીપી લેવલના અધિકારી સુધી તાલીમ પણ આપવામાં આવી છે. તેમજ લોકોને e ફરિયાદ કરવા પોલીસ જાગૃત કરશે. જેથી પોલીસ પર ફરિયાદ ન કરવાના કે નાણાં લેવાના આક્ષેપ હતા તે દૂર કરી પોલીસની છબી સુધારી શકાય. પોલીસ વિભાગનું એ પણ માનવું છે કે ગામડે 10 કે 20 કિમિ દૂર જઈને લોકોએ ફરિયાદ કરવી પડતી હતી તે સમસ્યા દૂર થશે. જોકે જે લોકો ઓનલાઇન સુવિધા નથી જાણતા તેવા લોકોની ઓફલાઇન પણ ફરિયાદ લેવાશે જેથી લોકોને ઓનલાઇન સાથે ઓફલાઇન સુવિધા પણ મળી રહે. અને ફરિયાદનો જલ્દી નિકાલ કરી લોકોને ન્યાય અપાવી શકાય.