Gujarati NewsGujaratAhmedabadNo fir filed in shrey hospital fire tragedy that claimed 8 lives ahmedabad sharamjanak shrey agnikand ma fariyad nodhva ma police na galatala 8 mot na javabdaro same purava j nathi malta
‘શરમ’જનક ‘શ્રેય’ અગ્નિકાંડમાં ફરિયાદ નોંધવામાં પોલીસના ગલ્લાતલ્લા, 8 મોતના જવાબદારો સામે પુરાવા જ નથી મળતા!
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં બેજવાબદાર અધિકારીઓના કારણે કોરોનાના નિર્દોષ 8 દર્દીઓ ભડથું થઈ ગયા પણ કંપાવી દેતી ઘટનાના ત્રણ દિવસ બાદ પણ એફઆઇઆર નથી નોંધાઈ. FSL, ફાયર અને ઈલેક્ટ્રીકનો રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી થશે, તેવું પોલીસનું રટણ ખબર નહીં કોને છાવરવા માટે છે? પોલીસને શ્રેય હોસ્પિટલના જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં કયા કાયદાકીય અને ટેકનીકલ કારણો […]
Follow us on
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં બેજવાબદાર અધિકારીઓના કારણે કોરોનાના નિર્દોષ 8 દર્દીઓ ભડથું થઈ ગયા પણ કંપાવી દેતી ઘટનાના ત્રણ દિવસ બાદ પણ એફઆઇઆર નથી નોંધાઈ. FSL, ફાયર અને ઈલેક્ટ્રીકનો રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી થશે, તેવું પોલીસનું રટણ ખબર નહીં કોને છાવરવા માટે છે? પોલીસને શ્રેય હોસ્પિટલના જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં કયા કાયદાકીય અને ટેકનીકલ કારણો નડે છે તે જ કોઈને સમજાતું નથી. દુ:ખની વાત તો એ છે કે, આઠ પરિવારોમાં માતમ છવાયો છે, પરંતુ પોલીસ અને સરકારને જવાબદારો સામે પુરાવા પણ નથી મળતા. આટલી ગંભીર ઘટના હોવા છતાં પોલીસ આ મામલે ફરિયાદ નોંધવામાં ગલ્લાતલ્લા કરી રહી છે અને તપાસ ચાલુ હોવાનો રાગ આલોપી રહી છે.