Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : રેલ મંત્રાલયે ગાંધીનગર, કલોલ તેમજ ખોડિયાર સેક્શનમાં ત્રણ ઓવરબ્રિજ બનાવવાની આપી મંજૂરી

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ 3 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજનાથી માત્ર રેલવેને જ નહીં પણ માર્ગ વાહનવ્યવહાર પણ વધારે સારો અને સુરક્ષિત બનશે. વળી તેનાથી સ્થાનિક લોકોને પણ આવવા-જવાની સારી સુવિધા મળી રહેશે. મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ આ પ્રોજેક્ટનું મહત્ત્વ જણાવતાં કહ્યું કે આ રોડ ઓવર બ્રિજ બનવાથી લોકોને સારી રીતે આવવા-જવાની સુવિધા મળશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે.

Ahmedabad : રેલ મંત્રાલયે ગાંધીનગર, કલોલ તેમજ ખોડિયાર સેક્શનમાં ત્રણ ઓવરબ્રિજ બનાવવાની આપી મંજૂરી
railway over ridge
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 14, 2023 | 5:50 PM

Ahmedabad : રેલ મંત્રાલયે બહુપ્રતિક્ષિત ત્રણ રેલવે ઓવરબ્રિજને (Railway Over bridge) અમ્બ્રેલા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ લગભગ 340 કરોડના ખર્ચે કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 11, ખોડિયાર-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 13 અને કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 9 પર ત્રણ રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે.

આ પણ વાંચો Railway News : રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે પશ્ચિમ અને મધ્ય રેલવેના અધિકારીઓ સાથે કરી બેઠક, ગુજરાત અને મહારાષ્ટ્રને લગતા રેલવે સંબંધિત મુદ્દા પર થઇ ચર્ચા

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ 3 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજનાથી માત્ર રેલવેને જ નહીં પણ માર્ગ વાહનવ્યવહાર પણ વધારે સારો અને સુરક્ષિત બનશે. વળી તેનાથી સ્થાનિક લોકોને પણ આવવા-જવાની સારી સુવિધા મળી રહેશે. મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ આ પ્રોજેક્ટનું મહત્ત્વ જણાવતાં કહ્યું કે આ રોડ ઓવર બ્રિજ બનવાથી લોકોને સારી રીતે આવવા-જવાની સુવિધા મળશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે.

Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
CSK ખરાબ હાલતમાં, IPLમાં ઘણા વર્ષો પછી આવો દિવસ જોયો
ભારતમાં જીવતો પકડાયેલો પહેલો પાકિસ્તાની આતંકવાદી કોણ હતો?
ફળો ખાવાનો યોગ્ય સમય ક્યારે છે?
Raw papaya: ઉનાળામાં દરરોજ કાચા પપૈયા ખાવાથી શું ફાયદા થાય છે?
Vastu Tips: ઓફિસના ટેબલ પર ભુલથી પણ ના રાખવી જોઈએ આ વસ્તુઓ

આ પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ

1. કલોલ-ગાંધીનગર સેક્શન : આ સેક્શનમાં કોલવડા-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 11 પર લગભગ 101 કરોડ રૂપિયાના ખર્ચે ચાર લેન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. તેથી ગાંધીનગર સિટી, કલોલ, વાવોલ, જીઆઇડીસી વિસ્તાર, પેથાપુર ગામ વગેરેને લાભ થશે.

2. ખોડિયાર-ગાંધીનગર સેક્શન : ખોડિયાર-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 13 પર લગભગ 120 કરોડ રૂપિયાના ખર્ચે ચાર લાઇન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. ગાંધીનગર સિટી, પેથાપુર ગામ તેમજ રાંધેજાની સમાન્ય જનતાને આનો લાભ મળશે.

3. કલોલ-ગાંધીનગર સેક્શન : કોલવડા-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 9 પર લગભગ 120 કરોડ રૂપિયાા ખર્ચે ફોર લાઇન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. વાવોલ, ઉવારસદ, અડાલજ, ગાંધીનગર સિટી, સેરથા તેમજ ઝુંડાલના લોકોને આનો લાભ મળશે.

રેલ મંત્રાલયના આ પગલાંથી રેલ વાહનવ્યવહારની વધારે સારી સેવાઓ પ્રદાન કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. અને તે સાથે યાત્રીઓને પણ સુખમય સફરનો અનુભવ કરવા મળે તે માટે મદદ કરી રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને અમદાવાદ મંડળના લોકો માટે એક મોટી વાહનવ્યવહારની સુવિધા પ્રત્યેનું મહત્ત્વપૂર્ણ પગલું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">