AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનો હુંકાર, કહ્યું “કોંગ્રેસ ભાજપનો ભુક્કો બોલાવી દેશે”

JAGDISH THAKOR પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે.

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનો હુંકાર, કહ્યું કોંગ્રેસ ભાજપનો ભુક્કો બોલાવી દેશે
Jagdish Thakor's first reaction after being appointed new Gujarat Congress chief
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 6:50 PM
Share

AHMEDABAD : મહિનાઓ સુધી મથામણ ચાલ્યા બાદ અંતે ગુજરાત કોંગ્રેસને નવા સુકાની મળી ગયા છે.ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે.આ પદ માટે અનેક દાવેદાર હતા.દિલ્લીમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ભારે મનોમંથન ચાલ્યુ હતું, જે બાદ જગદીશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.તો અમદાવાદ એરપોર્ટ પર જગદીશ ઠાકોરનું આગમન થતાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જગદીશ ઠાકોરે કહ્યું કે, મારા પર વિશ્વાસ મુકી જવાબદારી સોંપી છે, પ્રદેશ નેતાઓ સાથે મળીને કામ કરીશું, સ્વાગત માટે કાર્યકર્તા અને કોંગ્રેસના નેતાઓનો આભાર.2022માં ગુજરાત કોંગ્રેસનો વિજય થશે.

કોંગ્રેસ ભાજપનો ભુક્કો બોલાવી દેશે તેમણે કહ્યું સમગ્ર ગુજરાતમાં પાયામાંથી રાજનીતિ શરૂ કરી હતી. વોર્ડ અને તાલુકાના કાર્યકરથી માંડી અને આટલા મોટા પદ પર આવ્યો છું. હું ગુજરાતની રાજનીતિની ધરતીને પણ ઓળખું છું. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની રણનીતિને પણ ઓળખું છું. અને 27 વર્ષના શાસનમાં કોંગ્રેસના કાર્યકરો સાથે કેટલી કિન્નાખોરી થઇ એ પણ ઓળખું છું. અને આ બધું જ જોઇને પૂરી તાકાતથી કોંગ્રેસને આગળ લઇ જઈશ. તેમણે કહ્યું ગુજરાતમાં કોંગ્રેસ તાકાતથી બદલવા નીકળવાની છે. તેમણે કહ્યું સીટોની વાત બાજુએ મુકો, કોંગ્રેસ ભાજપનો ભુક્કો બોલાવી દેશે.

રઘુ શર્માની પ્રતિક્રિયા બીજી તરફ જગદીશ ઠાકોરની પસંદગી મુદ્દે ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ કહ્યું, પાર્ટીમાં જ્ઞાતિ કે વિસ્તારના આધારે કોઈ નિર્ણયો લેવામાં નથી આવતા.જગદીશ ઠાકોરની પસંદગીને જ્ઞાતિગત સમીકરણોના આધારે ન જોવા જોઈએ.તો ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, વર્તમાન સમયમાં રાજ્યની ભાજપ સરકારની સ્થિતિ ખુબ ખરાબ છે અને 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય જીત હાંસલ કરશે.

પાટણથી સાંસદ રહી ચુક્યા છે જગદીશ ઠાકોર મહત્વનું છે કે જગદીશ ઠાકોર પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે.જગદીશ ઠાકોરને કમાન સોંપીને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણ ગોઠવવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું રહ્યું છે…સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન અપાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસ OBC અને આદિવાસી નેતાને સહારે આગામી ચૂંટણીરૂપી વૈતરણી તરવા માગે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">