રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત બીજા દિવસે એટલે કે રવિવારે કમોસમી વરસાદ પડ્યો. અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા અને વિજાપુરમાં વરસાદી ઝાપટું પડ્યું. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ખેડૂતોને ફિકર એ વાતની છે કે વાતાવરણ બગડવાના કારણે તેમના રવિ પાકને ભારે અસર થશે. અને તેમને આર્થિક નુકસાન થશે.
રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો.સતત બીજા દિવસે માવઠાના પગલે ઘઉં, ચણા, જીરું, ધાણા, તુવેર અને ડુંગળી સહિતના પાકોને નુકસાનની ભીતિ છે.આ તરફ બનાસકાંઠામાં વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારમાં માવઠું થતાં જીરું, રાયડો, બટાકા સહિતના પાકને નુકસાનની આશંકા છે. દિયોદર, લાખણી, કાંકરેજ, થરાદ સહીતના તાલુકા અને જલોઢા, માનપુરા, રૈયા સહીતના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં છે.
બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતાં શહેરમાં પણ માર્ગો પર પાણી ભરાયા. પાલનપુરના ખેડૂતોને પોતાના પાકની ચિંતા સતાવી રહી છે. તો બીજી તરફ ખેડૂતો જ નહીં માર્કેટયાર્ડના વેપારીઓની સ્થિતિ પણ કફોડી બની છે. બનાસકાંઠાના પાલનપુરમાં શનિવારે રાત્રે એક ઈંચ કમોસમી વરસાદ પડ્યો. જેના પગલે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો..હવામાન વિભાગે આગાહીને અવગણવાનું વેપારીઓને ભારે પડી ગયુ
Published On - 9:02 am, Mon, 30 January 23