AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હિટવેવની હવામાનની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ 5 એપ્રિલના રોજ જ્યારે બીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લાઓમાં ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની અસર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 6 એપ્રિલના રોજ બનાસકાંઠા અને કચ્છમાં હિટવેવ ની સંભાવના છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હિટવેવની હવામાનની આગાહી
Gujarat Heatwave Forecast (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:55 PM
Share

ગુજરાતમાં(Gujarat)ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. જેમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં રવિવારે  ગરમીનો(Heat Wave)પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. તેમજ હવામાન વિભાગની(IMD) આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી હજુ હિટવેવ ની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી 4 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અલગ-અલગ વિસ્તારોમાં હિટવેવ ની સંભાવના છે. સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ હિટ વેવની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ 5 એપ્રિલના રોજ જ્યારે બીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લાઓમાં ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની અસર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 6 એપ્રિલના રોજ બનાસકાંઠા અને કચ્છમાં હિટવેવ ની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રવિવારે પણ અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ હતી. જેમાં અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, અમરેલીમાં મહત્તમ 42 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, જૂનાગઢમાં 41 ડિગ્રી, ઈડરમાં 41 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી અને ડીસામાં મહત્તમ 41 ડિગ્રી અને કચ્છમાં મહત્તમ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે બાકીના શહેરોમાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે.કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.તો અમદાવાદ શહેરમાં હજી પણ ગરમીનો પારો ઉપર જશે.જેને લઇ અમદાવાદમાં યેલ્લો અલર્ટ જાહેર કરાયું છે.તો બીજી તરફ કાળઝાળ ગરમીને પગલે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે.

હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 42 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો રહેશે. લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે..જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  સારા સમાચાર : નર્મદા ડેમની જળસપાટી 118. 15 મીટરે પહોંચી, ઉપરવાસના ડેમમાંથી પાણીની આવક

આ પણ વાંચો : Kutch: ઉનાળો શરુ થતા જ ભૂજમાં પાણીની પારાયણ શરુ, ભર ઉનાળે પાણી માટે તરસ્યા લોકો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">