AHMEDABAD : SOU ઇકો સેન્સેટીવ ઝોન વિરુદ્ધની MLA છોટુ વસાવાની અરજી હાઇકોર્ટે ફગાવી

આ અરજીની સુનવણીમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં ખેતીવાડીને કોઈ અસર નહીં થાય તેવું ગુજરાત સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 3:38 PM

AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટે ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના ધારાસભ્ય છોટુ વસાવાની SOU ઇકો સેન્સેટીવ ઝોન વિરુદ્ધની અરજી ફગાવી છે. MLA છોટુ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકો સેન્સેટીવ ઝોન વિરુદ્ધ હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરી હતી. છોટુ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકો સેન્સેટીવ ઝોનમાં શૂલપાણેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને લઇને અરજી કરી હતી.જો કે ગુજરાત હાઈકોર્ટે MLA છોટુ વસાવાની આ અરજી ફગાવી દીધી છે.

હાઈકોર્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકો સેન્સેટીવ ઝોન વિરુદ્ધ કરવામાં આવેલી આ અરજી ફગાવતા અવલોકન કર્યું હતું કે આ અરજી કોઈ શુદ્ધ હેતુથી કરવામાં નથી આવી. હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકો સેન્સેટીવ ઝોન 2016માં જાહેર કરવામાં આવ્યો, તો 2021માં અરજી કરવાનો હેતુ શું ? હાઈકોર્ટના આ પ્રશ્નનો યોગ્ય જવાબ ન મળતા આખરે હાઈકોર્ટે MLA છોટુ વસાવાની આ અરજી ફગાવી છે.

આ અરજીની સુનવણીમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં ખેતીવાડીને કોઈ અસર નહીં થાય તેવું ગુજરાત સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું.

ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના ધારાસભ્ય છોટુ વસાવા અનેકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરી ચુક્યા છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરતા કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ દિલ્હીમાં બનાવો અને કેવડિયામાં આદિવાસી નેતા બિરસા મૂંડાની પ્રતિમા મુકો.છોટુ વસાવાએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ તો દેશના નેતા હતાં. તેમનું સ્ટેચ્યુ દિલ્હીમાં બનાવો, અને કેવડિયા કોલોનીમાં આદિવાસી નેતા બિરસા મૂંડાની પ્રતિમા બનાવો, કારણ કે આ ટ્રાયબલ એરિયા છે.

આ પણ વાંચો : SURAT : પુણા હનીટ્રેપ કેસમાં બે આરોપીઓની ધરપકડ, કુલ 9 આરોપીઓની સંડોવણી સામે આવી

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">