Breaking News : ગુજરાત બોર્ડનો મોટો છબરડો, ધુળેટીના દિવસે ગોઠવી પરીક્ષા! વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી

ગુજરાત બોર્ડ દ્વારા ધુળેટીના દિવસે પરીક્ષા ગોઠવવાનો ફરી એક છબરડો સામે આવ્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 4 માર્ચે વિવિધ વિષયોના પેપરો જાહેર રજાના દિવસે રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી છે.

Breaking News : ગુજરાત બોર્ડનો મોટો છબરડો, ધુળેટીના દિવસે ગોઠવી પરીક્ષા! વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી
| Edited By: | Updated on: Dec 05, 2025 | 2:47 PM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો ફરી એક છબરડો સામે આવ્યો છે. રંગોના તહેવાર ધુળેટીના દિવસે જ પરીક્ષાનું પેપર મુકાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બોર્ડ દ્વારા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવવાનો નિર્ણય ચર્ચાનો વિષય બની ગયો છે.

માહિતી મુજબ 4 માર્ચે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર લેવામાં આવશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનું પેપર પણ એ જ દિવસે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધૂળેટીના દિવસે અર્થશાસ્ત્ર અને નામાના મૂળતત્ત્વોના પેપર પણ મુકાયા છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ગૂંચવણ અને અસંતોષ વધી ગયો છે.

વિશેષ નોંધનીય છે કે વર્ષ 2023માં પણ બોર્ડે ચેટી ચાંદના દિવસે પરીક્ષાનું આયોજન કર્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓના ભારે વિરોધ બાદ બોર્ડને નિર્ણય બદલવો પડ્યો હતો. ત્યારે બોર્ડે ભૂલ સ્વીકારી શેડ્યૂલમાં ફેરફાર કર્યો હતો.

આ વખતે પણ જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓમાં અસંતોષ વ્યાપ્યો છે. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે ઉત્સવના દિવસે પરીક્ષાની ચિંતા વચ્ચે તેઓ કેવી રીતે તૈયારીઓ કરી શકશે. વાલીઓએ પણ બોર્ડને વિદ્યાર્થીઓની ભાવનાઓ સમજતા સમયપત્રકમાં જરૂરી બદલાવ કરવાની માંગ કરી છે.

(ઈનપુટ ક્રેડિટ – નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ)

Follow Us