અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 443 કેસ અને ત્રણ લોકોના મોત

ગુજરાતમાં સતત વધી રહેલા Coronaના કેસ વચ્ચે અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું એપીસેન્ટર બનવા જઈ રહ્યું છે. જેમાં રવિવારે સામે આવેલા કોરોના આંકડાએ શહેરીજનો અને વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે.

અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 443 કેસ અને ત્રણ લોકોના મોત
Corona Case Increase In Ahmedabad
Follow Us:
| Updated on: Mar 24, 2021 | 3:39 PM

ગુજરાતમાં સતત વધી રહેલા Coronaના કેસ વચ્ચે અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું એપીસેન્ટર બનવા જઈ રહ્યું છે. જેમાં રવિવારે સામે આવેલા કોરોના આંકડાએ શહેરીજનો અને વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે. જેમાં રવિવારે સામે આવેલા કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં રાજ્યના સૌથી વધારે 443 કેસ સામે આવ્યા હતા અને સૌથી વધારે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરત બીજા નંબરે રહ્યું હતું. સુરતમાં કોર્પોરેશનના કોરોનાના 405 કેસ નોંધાયા છે અને બે લોકોનાં મોત થયા છે.

અમદાવાદમાં બે દિવસમાં 99 કેસ ઉમેરાયા

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અમદાવાદ શહેરમાં શુક્રવારે Coronaના 344 કેસ નોંધાયા હતા અને શનિવારે તે વધીને 405 થયા અને જે રવિવારે વધીને 443એ પહોંચ્યા છે. જે કોરોનાના વધતાં કેસોની ગતિ દર્શાવે છે. જેમાં અમદાવાદ શહેરમાં 19 માર્ચની રાત્રિ કર્ફ્યૂની મુદત રાત્રે 9 વાગેથી સવારે 6 વાગે સુધીની કરવામાં આવી છે. તેમજ શનિ અને રવિવારના રોજ મોલ અને સિનેમા પણ બંધ કરવામાં આવ્યા છે. જો કે તેમ છતાં કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.

કોર્પોરેશને સુપર સ્પ્રેડરને શોધવા માટે ટેસ્ટ કરવાની શરૂઆત કરી

અમદાવાદ શહેરમાં Coronaના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં રવિવારે કોરોનાના 443 જેટલા કેસ નોંધાયા હતા. જે અમદાવાદ શહેરના અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ કેસ છે. જેમાં દેશમાં કોરોનાના કેસ પર નિયંત્રણ લાવવા માટે કોર્પોરેશનને સુપર સ્પ્રેડરને શોધવા માટે ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે. જેની માટે મહાનગરપાલિકાએ ઝોન વાઈસ 18 જેટલા સેન્ટરો શરૂ ર્ક્યા છે.

સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરાવવા માટે રવિવારથી 18 ખાનગી લેબમાં રૂપિયા 500માં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જેમાં ખાણીપિણી, કરિયાણા, શાકભાજી અને ફ્રૂટ વેચાણ સાથે સંકળાયેલા લોકો તેમજ અન્ય કોઈપણ વસ્તુની ડીલીવરી સાથે સંકળાયેલા ધંધાકીય એકમ, ડીલીવરીબોય તથા કર્મચારીઓ માટે ફરજિયાત આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવાનો રહેશે.

રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન લગાવવાનું નથી: સીએમ રૂપાણી 

ગુજરાતમાં સતત વધી રહેલા Coronaના કેસ અને સંપૂર્ણ લોકડાઉનની અફવાઓ વચ્ચે CM Rupaniએ આજે ફેસબુક લાઈવમાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન લગાવવાનું નથી. તેમજ લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે લોકોને કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યું હતું. તેમણે સંબોધનમાં સરકારે કરેલા કામકાજની વિગતો આપી હતી. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોના રોજગારની પણ ચિંતા છે. આ ઉપરાંત અમે રાજ્યના નાગરિકોની સુવિધા માટે હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતી વ્યવસ્થા કરી દીધી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 1,580 કેસ નોંધાયા, 7ના મોત

Latest News Updates

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
g clip-path="url(#clip0_868_265)">