AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT : રસ્તા પર રખડતા ઢોરનું રાજ, આખલાઓ માટે રસ્તાઓ બન્યા યુદ્ધનું મેદાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 6:05 PM
Share

BULL FIGHT : રાજ્યના અનેક શહેરોમાં રસ્તા પર રખડતા ઢોરનો આતંક વધ્યો છે. જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, વલસાડ, વડોદરા અને અમદાવાદમાં રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

AHMEDABAD : રાજ્યના મોટા ભાગના શહેરોમાં વાહનચાલકો અને રાહદારીઓ એક મોટી મુસીબતથી પરેશાન છે.આ મુસીબત છે રસ્તા પર રખડતા ઢોરની. જાહેર રસ્તા પર ફરતા આ રખડતા ઢોર રાહદારીઓ અને વાહનચાલકો માટે રસ્તા પર રખડતું મોત સાબિત થઈ રહ્યા છે.રાજ્યના અનેક શહેરોમાં રસ્તા પર રખડતા ઢોરનો આતંક વધ્યો છે.. જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, વલસાડ, વડોદરા અને અમદાવાદમાં રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

રસ્તે રખડતી આ રંજાડનો ક્યારે અંત આવશે તે બાબતે તંત્ર પણ હાથ ઉચ્ચા કરીને મુકપ્રેક્ષકની ભુમિકા ભજવતી હોય તેવું લાગી રહ્યું છે..રસ્તા પરની આ સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. ઘરની બહાર નિકળતા લોકો થરથર કાપી રહ્યા છે.કારણ કે અજાણતી આફત ક્યારે પણ આવી ને હુમલો કરી શકે છે. રખડતા ઢોરના આતંકની સમસ્યાને લઈ સ્થાનિકોએ અને મોટા નેતાઓએ પણ અનેક રજૂઆત કરી છે. પરંતુ તંત્ર તરફથી માત્ર કામની જગ્યાએ માત્ર વાતો અને દાવાઓ જ કરવામાં આવતા હોવાનું સાબીત થઈ રહ્યુ છે.

આ પણ વાંચો :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આ પણ વાંચો  : પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવા અંગે કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

g clip-path="url(#clip0_868_265)">