કોરોનાને ડામવા AMCનો નિર્ણય, અમદાવાદમાં 26 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન કરાયા જાહેર

|

Sep 25, 2020 | 7:19 PM

છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ કુલ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 60 હતી. આ કન્ટેઈન્મેન્ટ ઝોન અંગે તંત્રએ નિર્ણય લીધો છે અને તેમાંથી માત્ર 2 ઝોનને દૂર કરવામાં આવ્યા છે. કુલ 58 કન્ટેઈન્મેન્ટ […]

કોરોનાને ડામવા AMCનો નિર્ણય, અમદાવાદમાં 26 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન કરાયા જાહેર
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ કુલ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 60 હતી. આ કન્ટેઈન્મેન્ટ ઝોન અંગે તંત્રએ નિર્ણય લીધો છે અને તેમાંથી માત્ર 2 ઝોનને દૂર કરવામાં આવ્યા છે. કુલ 58 કન્ટેઈન્મેન્ટ જૂના રહેશે અને તો તેની સાથે 26 નવા સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  કોરોનાના લીધે JEE અને NEETની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં યોજાશે, જાણો સરકારે કઈ તારીખ જાહેર કરી?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 અમદાવાદમાં જે 26 વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે તેને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. શુક્રવારના રોજ તંત્ર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે 2 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે તેમાં સાઉથ ઝોનના વટવા વોર્ડમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટી, સ્મૃતિ મંદિરનો સમાવેશ થાય છે. જ્યારે નોર્થ વેસ્ટ ઝોનના બોડકદેવ વોર્ડના ગેલેક્સી ટાવરને પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે પણ નવા કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે ત્યાં કોર્પોરેશન દ્વારા સઘન મેડિકલ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. આ સિવાય ઝોનમાં ડોર ટુ ડોર જઈને સર્વે કરવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિમાં કોરોના વાઈરસના લક્ષણો દેખાય તો તેમના સેમ્પલ પણ લેવાઈ છે. અમદાવાદમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 21,543 થઈ ગયા છે. જ્યારે કોરોનાના લીધે 1466 લોકોના મોત નીપજ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 204 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 6:11 pm, Fri, 3 July 20

Next Article