અમદાવાદમાં બોપલની ઘટના બાદ નિકોલમાં પણ પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નિકોલના ભોજલધામ પાસે અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનતી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. આ દરમિયાન કામ કરતા 8 જેટલા શ્રમિકો દટાયા હતા. જેને તાત્કાલિક કામગીરીથી બહાર કાઢવામાં આવ્યા છે. તો સ્થાનિકોની માહિતી પ્રમાણે 3 જેટલા લોકો હજુ દટાયા હોવાની આશંકા છે.
આ પણ વાંચોઃ ભારતની 5 ખૂંખાર મહિલા જેની દુનિયાભરની પોલીસને છે તલાશ, આ ગુનાઓમાં છે સંડોવણી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છેકે, પાણીની ટાંકીનું કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જેમાં એક સ્લેબ ધરાશાયી થતા આ દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં 15 દિવસ દરમિયાનમાં આ બીજી દુર્ઘટના છે અગાઉ પણ બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 3 લોકોના મોત નિપજ્યા હતા. હજુ તો પાણીની ટાંકીનું કામ ચાલુ હતું આ સમયે જ આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પ્રકારની બેદરકારી પાછળ તંત્ર જવાબદારી લેશે કે, દર વખતની માફક તપાસના બહાને છટકી જશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
Published On - 11:02 am, Mon, 19 August 19