અમદાવાદમાં રેશન કાર્ડની દુકાનો પરથી અનાજ મેળવતા ગરીબો અટવાયા, સર્વરમાં ખામી સર્જાઇ
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યારે ગરીબો અનાજ લેવા પહોંચે છે તો તેમને કૂપન નથી મળી રહી. કૂપન ન મળવાનું કારણ એ છે કે ઓનલાઈન સર્વરમાં નવેમ્બર માસનો અનાજનો સ્ટોક શૂન્ય દર્શાવે છે
અમદાવાદમાં(Ahmedabad)દિવાળીના(Diwali)તહેવારો સમયે જ ગરીબોનો(Poor)કોળિયો અટવાયો છે.જેમાં સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી વિતરીત કરવામાં આવતો ગરીબો માટેનું અનાજ હજુ સુધી તેમના સુધી પહોંચ્યું નથી. હાલના સમયમાં આ હકદાર ગરીબોને અનાજ જરૂર છે. તેવા સમયે દર વખતની જેમ આ વખતે સર્વરના ધાંધિયાથી તેમના સુધી અનાજ નથી પહોંચી શક્યું નથી.
જેના લીધે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યારે ગરીબો અનાજ લેવા પહોંચે છે તો તેમને કૂપન નથી મળી રહી. કૂપન ન મળવાનું કારણ એ છે કે ઓનલાઈન સર્વરમાં નવેમ્બર માસનો અનાજનો સ્ટોક શૂન્ય દર્શાવે છે.. આ સર્વર ગાંધીનગરથી ઓપરેટ થાય છે.. સર્વરમાં કોઈ ખામી હોય કે પછી ભૂલ છે તેનો ભોગ અત્યારે ગરીબો બન્યા છે.. દુકાનદારો કૂપન જનરેટ ન કરી શકતા હોવાથી ગરીબોને અનાજ નથી મળી શક્યું.
ગુજરાતમાં તહેવારો સમયે ઉભી થયેલી આ ખામીએ ગરીબોને અનાજને તેમના સુધી પહોંચતુ અટકાવ્યું છે. જેમાં દુકાનમાં અનાજ છે પરંતુ દુકાનદાર કૂપન વિના તેના હકદારને આપી શકતો નથી. તેથી આ મુદ્દે સરકારે તાત્કાલિક ધોરણે સર્વરનો પ્રશ્ન ઉકેલવો જોઇએ અથવા તો આ મુદ્દે કોઇ બીજો રસ્તો અપનાવીને ગરીબો સુધી દિવાળી પૂર્વે અનાજ પહોંચાડવાની પહેલ કરવી જોઇએ.
આ પણ વાંચો : અમદાવાદ : 14 વર્ષના બાળકના હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ, સીમ્સમાં કુલ 18 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા
આ પણ વાંચો: હાથ-પગ બાંધીને 13 વર્ષની સગીરા પર થયો બળાત્કાર, પોલીસ પર 3 દિવસ સુધી FIR ન નોંધી હોવાનો પરિવારનો આક્ષેપ
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
