અમદાવાદમાં રેશન કાર્ડની દુકાનો પરથી અનાજ મેળવતા ગરીબો અટવાયા, સર્વરમાં ખામી સર્જાઇ

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યારે ગરીબો અનાજ લેવા પહોંચે છે તો તેમને કૂપન નથી મળી રહી. કૂપન ન મળવાનું કારણ એ છે કે ઓનલાઈન સર્વરમાં નવેમ્બર માસનો અનાજનો સ્ટોક શૂન્ય દર્શાવે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 8:14 PM

અમદાવાદમાં(Ahmedabad)દિવાળીના(Diwali)તહેવારો સમયે જ ગરીબોનો(Poor)કોળિયો અટવાયો છે.જેમાં સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી વિતરીત કરવામાં આવતો ગરીબો માટેનું અનાજ હજુ સુધી તેમના સુધી પહોંચ્યું નથી. હાલના સમયમાં આ હકદાર ગરીબોને અનાજ જરૂર છે. તેવા સમયે દર વખતની જેમ આ વખતે સર્વરના ધાંધિયાથી તેમના સુધી અનાજ નથી પહોંચી શક્યું નથી.

જેના લીધે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યારે ગરીબો અનાજ લેવા પહોંચે છે તો તેમને કૂપન નથી મળી રહી. કૂપન ન મળવાનું કારણ એ છે કે ઓનલાઈન સર્વરમાં નવેમ્બર માસનો અનાજનો સ્ટોક શૂન્ય દર્શાવે છે.. આ સર્વર ગાંધીનગરથી ઓપરેટ થાય છે.. સર્વરમાં કોઈ ખામી હોય કે પછી ભૂલ છે તેનો ભોગ અત્યારે ગરીબો બન્યા છે.. દુકાનદારો કૂપન જનરેટ ન કરી શકતા હોવાથી ગરીબોને અનાજ નથી મળી શક્યું.

ગુજરાતમાં તહેવારો સમયે ઉભી થયેલી આ ખામીએ ગરીબોને અનાજને તેમના સુધી પહોંચતુ અટકાવ્યું છે. જેમાં દુકાનમાં અનાજ છે પરંતુ દુકાનદાર કૂપન વિના તેના હકદારને આપી શકતો નથી. તેથી આ મુદ્દે સરકારે તાત્કાલિક ધોરણે સર્વરનો પ્રશ્ન ઉકેલવો જોઇએ અથવા તો આ મુદ્દે કોઇ બીજો રસ્તો અપનાવીને ગરીબો સુધી દિવાળી પૂર્વે અનાજ પહોંચાડવાની પહેલ કરવી જોઇએ.

આ પણ વાંચો : અમદાવાદ : 14 વર્ષના બાળકના હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ, સીમ્સમાં કુલ 18 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા

આ પણ વાંચો: હાથ-પગ બાંધીને 13 વર્ષની સગીરા પર થયો બળાત્કાર, પોલીસ પર 3 દિવસ સુધી FIR ન નોંધી હોવાનો પરિવારનો આક્ષેપ

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">