AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: હોળીના તહેવારને ધ્યાને રાખી રેલવે વિભાગ દોડવાશે સ્પેશ્યિલ ટ્રેન, વતન જવા માગતા મુસાફરોને થશે ફાયદો

Ahmedabad: હોળાના તહેવારને ધ્યાને રાખી રેલવે વિભાગે વિશેષ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યુ છે. જેથી વતન જતા મુસાફરોને હાલાકી ન પડે. તહેવારોમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ રહે છે ત્યારે મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. જેથી મુસાફરોને હાલાકી ન પડે.

Ahmedabad: હોળીના તહેવારને ધ્યાને રાખી રેલવે વિભાગ દોડવાશે સ્પેશ્યિલ ટ્રેન, વતન જવા માગતા મુસાફરોને થશે ફાયદો
Darshal Raval
| Edited By: | Updated on: Feb 27, 2023 | 5:41 PM
Share

હોળીના તહેવારમાં લોકો પરિવાર સાથે તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં પોતાના વતન જતા હોય છે. વતન જવા માટે અગાઉથી ટ્રેનના બુકિંગ પણ વધી જતા હોય છે. જેના કારણે રેલવે સ્ટેશન પર અત્યારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ભીડને પહોંચી વળવા માટે મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવે વિભાગ વિશેષ ટ્રેન ચલાવવાનુ નક્કી કર્યુ છે. રેલવે વિભાગ જે વિશેષ ટ્રેન દોડાવવાનું છે તેમા…

  • રેલવે ઓખા બાંદ્રા સ્પેશ્યલ ટ્રેન ચલાવશે
  • અમદાવાદ અને કરમાલી વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે
  • ગાંગ્રા માટે સ્પેશ્યલ ટ્રેન ચલાવશે.
  • દક્ષિણ ગુજરાત માટે સ્પેશ્યલ ટ્રેન ચલાવશે
  • બાંદ્રા વિરંગના ઝાંસી સ્પેશ્યલ ટ્રેન
  • અમદાવાદ કાનપુર સ્પેશ્યલ ટ્રેન
  • અમદાવાદ આગ્રા કેન્ટ સ્પેશ્યલ ટ્રેન
  • મુંબઈ સેન્ટ્રલ ભગત કોઠી ટ્રેન
  • અમદાવાદ પટના ટ્રેન
  • બાંદ્રા ભાવનગર સ્પેશ્યલ ટ્રેન
  • ઓખા નાહરલગુલ સ્પેશ્યલ ટ્રેન
  • ઉધના મંગલુર સ્પેશ્યલ ટ્રેન

આ તમામ ટ્રેન રેલવે વિશેષ ભાડા સાથે દોડાવાશે. જેથી રેલવેને નુકસાન ન જાય અને લોકોને સુવિધા પણ મળી રહે. એટલુ જ નહીં વતન જવા માટે લોકો 10 દિવસ કે તેના પહેલા વતન જતા હોય છે. જેના માટે તેઓ મહિના કે બે મહિના પહેલા ટીકીટ બુકીંગ કરાવતા હોય છે. જેના કારણે હાલમાં કોઈ ટ્રેનમાં 50 કે 100 વેઇટિંગ ચાલી રહ્યું છે. જે વેઇટિંગ અને લોકોની ભીડ ને પહોંચી વળવા માટે રેલવે દ્વારા જે ટ્રેનમાં 24 કોચ છે અને તેમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. તો તેવી ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ મૂકીને મુસાફરોને તેમના વતન પહોંચાડવા નિર્ધાર કર્યો છે. તેમજ વધુ કેટલીક સ્પેશ્યલ ટ્રેન દોડાવવી હોય કે એક્સ્ટ્રા કોચ લગાવવા હોય તો તેની પણ રેલવે એ તૈયારી દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે સ્પેશ્યલ ટ્રેનની વાત હોય કે રૂટિન. તમામમાં હાલ ધમધોકાર બુકીંગ ચાલી રહ્યું છે. લોકો વેબસાઈટ અને રિઝર્વેશન કેન્દ્ર પરથી ટીકીટ બુકીંગ કરાવી રહ્યા છે. જોકે વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડવાની હોવાથી મુસાફરોને તે ટિકિટ મોંઘી પડી શકે છે. જોકે તહેવારની ઉજવણી કરવા માટે લોકો વધુ ભાડા સાથે પોતાના વતન જઈ રહ્યા છે. તો એક અંદાજ એવો છે કે આ વર્ષે રેલવેમાં હોળી દરમિયાન વધુ મુસાફરો મુસાફરી કરી શકશે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">