AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: હોળીના તહેવારને ધ્યાને રાખી રેલવે વિભાગ દોડવાશે સ્પેશ્યિલ ટ્રેન, વતન જવા માગતા મુસાફરોને થશે ફાયદો

Ahmedabad: હોળાના તહેવારને ધ્યાને રાખી રેલવે વિભાગે વિશેષ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યુ છે. જેથી વતન જતા મુસાફરોને હાલાકી ન પડે. તહેવારોમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ રહે છે ત્યારે મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. જેથી મુસાફરોને હાલાકી ન પડે.

Ahmedabad: હોળીના તહેવારને ધ્યાને રાખી રેલવે વિભાગ દોડવાશે સ્પેશ્યિલ ટ્રેન, વતન જવા માગતા મુસાફરોને થશે ફાયદો
Darshal Raval
| Edited By: | Updated on: Feb 27, 2023 | 5:41 PM
Share

હોળીના તહેવારમાં લોકો પરિવાર સાથે તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં પોતાના વતન જતા હોય છે. વતન જવા માટે અગાઉથી ટ્રેનના બુકિંગ પણ વધી જતા હોય છે. જેના કારણે રેલવે સ્ટેશન પર અત્યારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ભીડને પહોંચી વળવા માટે મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવે વિભાગ વિશેષ ટ્રેન ચલાવવાનુ નક્કી કર્યુ છે. રેલવે વિભાગ જે વિશેષ ટ્રેન દોડાવવાનું છે તેમા…

  • રેલવે ઓખા બાંદ્રા સ્પેશ્યલ ટ્રેન ચલાવશે
  • અમદાવાદ અને કરમાલી વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે
  • ગાંગ્રા માટે સ્પેશ્યલ ટ્રેન ચલાવશે.
  • દક્ષિણ ગુજરાત માટે સ્પેશ્યલ ટ્રેન ચલાવશે
  • બાંદ્રા વિરંગના ઝાંસી સ્પેશ્યલ ટ્રેન
  • અમદાવાદ કાનપુર સ્પેશ્યલ ટ્રેન
  • અમદાવાદ આગ્રા કેન્ટ સ્પેશ્યલ ટ્રેન
  • મુંબઈ સેન્ટ્રલ ભગત કોઠી ટ્રેન
  • અમદાવાદ પટના ટ્રેન
  • બાંદ્રા ભાવનગર સ્પેશ્યલ ટ્રેન
  • ઓખા નાહરલગુલ સ્પેશ્યલ ટ્રેન
  • ઉધના મંગલુર સ્પેશ્યલ ટ્રેન

આ તમામ ટ્રેન રેલવે વિશેષ ભાડા સાથે દોડાવાશે. જેથી રેલવેને નુકસાન ન જાય અને લોકોને સુવિધા પણ મળી રહે. એટલુ જ નહીં વતન જવા માટે લોકો 10 દિવસ કે તેના પહેલા વતન જતા હોય છે. જેના માટે તેઓ મહિના કે બે મહિના પહેલા ટીકીટ બુકીંગ કરાવતા હોય છે. જેના કારણે હાલમાં કોઈ ટ્રેનમાં 50 કે 100 વેઇટિંગ ચાલી રહ્યું છે. જે વેઇટિંગ અને લોકોની ભીડ ને પહોંચી વળવા માટે રેલવે દ્વારા જે ટ્રેનમાં 24 કોચ છે અને તેમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. તો તેવી ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ મૂકીને મુસાફરોને તેમના વતન પહોંચાડવા નિર્ધાર કર્યો છે. તેમજ વધુ કેટલીક સ્પેશ્યલ ટ્રેન દોડાવવી હોય કે એક્સ્ટ્રા કોચ લગાવવા હોય તો તેની પણ રેલવે એ તૈયારી દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે સ્પેશ્યલ ટ્રેનની વાત હોય કે રૂટિન. તમામમાં હાલ ધમધોકાર બુકીંગ ચાલી રહ્યું છે. લોકો વેબસાઈટ અને રિઝર્વેશન કેન્દ્ર પરથી ટીકીટ બુકીંગ કરાવી રહ્યા છે. જોકે વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડવાની હોવાથી મુસાફરોને તે ટિકિટ મોંઘી પડી શકે છે. જોકે તહેવારની ઉજવણી કરવા માટે લોકો વધુ ભાડા સાથે પોતાના વતન જઈ રહ્યા છે. તો એક અંદાજ એવો છે કે આ વર્ષે રેલવેમાં હોળી દરમિયાન વધુ મુસાફરો મુસાફરી કરી શકશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">