નવરાત્રી સહિતના તહેવારોમાં કોરોનાનો ખતરો વધી શકે છે : આહના

અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશને પણ કોરોનાના સંક્રમણ વધતાં ચિંતા વ્યક્ત કરી છે. તેમજ કહ્યું છે કે નવરાત્રી સહિતના તહેવારોના લોકોની ભીડ વધી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 7:22 AM

ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona) સંભવિત ત્રીજી લહેર અંગે ડોક્ટરોએ નવરાત્રી(Navratri) અને તહેવારોમાં જોખમ વધવાની આશંકા વ્યક્ત કરી. ડોક્ટરોના મતે કોવિડ નિયમોનું પાલન નહીં થાય તો સંક્રમણ વધી શકે છે. તેમજ લોકોએ ફરજિયાત કોવિડ રસી મુકાવી જોઈએ. આ અંગે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશને(AHNA) પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ કહ્યું છે કે નવરાત્રી સહિતના તહેવારોના લોકોની ભીડ વધી રહી છે.

તેમજ કોરોનાના નિયમોનું પણ અનેક સ્થળોએ ભંગ થતો જોવા મળી રહ્યો છે. તેવા સમયે આગામી તહેવારો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. તેથી બને ત્યાં સુધી કોવિડ નિયમોનું પાલન કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્ટ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપરાંત કોરોનાથી બચવા અને ફેલાતો રોકવા માટે કોરોના વેક્સિન ફરજિયાતપણે મૂકવવી જોઇએ.

આ દરમ્યાન અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક વધારો થતા જ AMCનું આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ માટે ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. અમદાવાદના કાલુપુર, મણિનગર રેલવે સ્ટેશન અને ગીતામંદિર ST સ્ટેન્ડમાં 3 ટીમ તૈનાત કરાઈ છે.

અહીં તંત્ર દ્વારા માઈક પર લોકોને કોરોના નિયમ પાળવા અને રસી લેવા સમજાવવામાં આવી રહ્યાં છે. જેથી તહેવારો દરમિયાન કોરોના સંક્રમણનું જોખમ ટાળી શકાય.

આ પણ વાંચો :ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ,બપોરે સુધી સ્પષ્ટ થશે ચિત્ર

આ પણ વાંચો : પાર્ટીપ્લોટ અને મોટા આયોજનને ગરબાની મંજૂરી ન મળતા આયોજકોને કરોડોનું નુકસાન

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">