
અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા અનુકૂળ રીતે પસાર થાય તે માટે ટ્રાફિક અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રાના રૂટમાં આવતા વિસ્તારોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જમાલપુર દરવાજા બહાર સ્થિત જગન્નાથ મંદિરથી યાત્રા શરૂ થશે અને માણેકચોક, દાણાપીઠ, ખમાસા સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ ફરી જગન્નાથ મંદિર ખાતે પરત ફરશે. આ સમગ્ર માર્ગ પર વાહન પાર્કિંગ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
આ વર્ષે રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
IG સ્તરથી કોન્સ્ટેબલ સુધીના કુલ 23,884 પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત રહેશે.
યાત્રા માર્ગ પર આવેલા 484 જર્જરિત મકાનોને સીલ કરવામાં આવ્યા છે અને ત્યાં હોમગાર્ડ તેમજ પતરાંના કવરથી સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે.
3D મેપિંગના આધારે આખા રૂટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભારતમાં સૌપ્રથમવાર રથયાત્રા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ ભીડ વ્યવસ્થાપન અને કોઈ અવ્યવસ્થા અટકાવવા માટે કરવામાં આવશે.
ડ્રોન ટેક્નોલોજી અને 3500 CCTV કેમેરા (જેમાં 241 સરકારી અને અન્ય નાગરિકોના સહયોગથી લગાવેલા) દ્વારા કમિશનર કંટ્રોલ રૂમમાંથી સતત મોનીટરિંગ થશે.
2872 પોલીસ બોડીકેમેરા અને 240 ધાબા પોઇન્ટ પરથી પણ સુરક્ષા માટે નજર રાખવામાં આવશે.
તારીખ ૨૬,૨૭ જુન ૨૦૨૫ રથયાત્રા અનુસંધાને નો પાર્કિંગ ઝોન અંગેનું જાહેરનામું.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #rathyatra #noparking @GujaratPolice @AhmedabadPolice pic.twitter.com/kSTHr770Jx
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) June 25, 2025
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:03 am, Fri, 27 June 25