Ahmedabad : પશ્ચિમ રેલવેનો નવતર પ્રયોગ, શરૂ કરાયો ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લાન્ટ

|

Jun 24, 2021 | 3:55 PM

Ahmedabad : પશ્ચિમ રેલવે વિભાગે (Western Railway) નવતર પ્રયાસ હાથ ધર્યો છે. પર્યાવરણને શુદ્ધ કરવાના રેલવે વિભાગના પ્રયાસના ભાગ રૂપે વિદેશોમાં ઉપયોગમાં લેવાતી તકનીક આધારે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લાન્ટ શરૂ કર્યો છે.

Ahmedabad : પશ્ચિમ રેલવેનો નવતર પ્રયોગ, શરૂ કરાયો ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લાન્ટ
પશ્ચિમ રેલવેનો નવતર પ્રયોગ

Follow us on

Ahmedabad : શહેરીજનો સૌથી વધુ મુસાફરી રેલવેમાં કરતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે રેલવેમાં મુસાફરી વધુ હોય તો સુવિધાની તેટલી જ વધુ જરૂર પડે અને તેની સામે કચરો પણ તેટલો જ થાય. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે વિભાગે (Western Railway) નવતર પ્રયાસ હાથ ધર્યો છે. અમદાવાદ ખાતે ભારતનો પ્રથમ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લાન્ટ (Zero Waste Management System Plant) શરૂ કર્યો છે.

કાલુપુર રેલવે સ્ટેશન અને મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. 1 હજાર સ્કવેર ફિટમાં આ પ્લાન્ટ શરૂ કરાયો છે. જે પ્લાન્ટમાં કચરો લાવી અલગ પાડી રિસાયકલિંગ કરાઈ છે. જેમાં ખાદ્ય કચરામાંથી ખાતર બનાવાય છે. જ્યારે પ્લાસ્ટિકમાંથી ટી શર્ટ, પીપીઈકીટ, નેપકીન, કેપ, પોલીથીન બેગ બનાવાય છે.

ભારતનો આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ મનાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ જે 43 લાખના ખર્ચે 3 વર્ષમાં તૈયાર કરવામાં આવ્યો છે. પ્લાન્ટમાં કચરો અલગ કરી સ્થળ પર ખાતર બનાવાય છે અને પ્લાસ્ટિક બોટલ ક્રશ કરાય છે. જ્યારે ક્રશ કરેલ બોટલ ખાનગી કંપની કે જેની સાથે MOU થયા છે તેને આપી ટી શર્ટ, નેપકીન અને કેપ જેવી વસ્તુ બનાવાય છે. એટલું જ નહીં પણ થર્મોકોલ અને ટેટ્રાપેકમાંથી પોલીએલ સીટ બનાવાશે તો સાથે જ આગામી દિવસમાં પ્લાન્ટના શેડ પર સોલાર સિસ્ટમ લગાવી ગ્રીન એનર્જી પણ મેળવવામાં આવશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

વધુમાં પ્લાન્ટને લઈને રેલવે વિભાગ ચાર્જિંગ વ્હીકલ પણ વસાવશે જેથી પ્રદુષણ ન થાય. ઇંધણ બચી શકે. સાથે જ કચરામાંથી ક્રૂડ ઓઇલ પણ તૈયાર કરવાની પ્રક્રિયા રેલવે વિભાગ દ્વારા ચાલી રહી છે. જેથી તેનો ઉપયોગ રેલવે વિભાગમાં કરી શકાય.

જે વસ્તુ બનાવાઈ રહી છે તેમાં ચાદરમાં 66 ટકા પ્લાસ્ટિક અને 34 ટકા કાપડ જ્યારે નેપકીનમાં 100 ટકા પ્લાસ્ટિક ઉપયોગ કરવામાં આવે છે. કચરામાંથી બનાવેલ ખાતરનો ઉપયોગ રેલવેના બગીચાઓમાં કરાશે. જ્યારે ટી શર્ટ અને અન્ય વસ્તુનો કાર્યક્રમો અને વ્યવસ્થામાં ઉપયોગ કરાશે.

મહત્વનું છે કે રેલવેમાં સામાન્ય દિવસમાં ચાલતી 200 જેટલી ટ્રેનમાં દરરોજ 2 ટન કચરો ભેગો થતા નિકાલ કઈ રીતે કરવો તેને લઈને પ્રશ્ન સર્જાયો હતો. સાથે જ AMCની ગાઈડલાઈન પ્રમાણે 100 કિલો કચરો ઉતપન્ન કરતા એકમે સ્થળ પર કચરો નિકાલ કરવાનો હોય છે.

ત્યારે તમામ બાબતો ધ્યાને રાખીને તેમજ પર્યાવરણને શુદ્ધ કરવાનો રેલવે વિભાગના પ્રયાસના ભાગ રૂપે વિદેશોમાં ઉપયોગમાં લેવાતી તકનીકના આધારે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે. જેને ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લાન્ટ નામ આપવામાં આવ્યું છે. રેલવે વિભાગના અધિકારીનું માનવું છે કે આ પ્લાન્ટથી પર્યાવરણ શુદ્ધ થશે. કચરાનો યોગ્ય અને ઝડપી નિકાલ થશે તેમજ કચરા સામે વસ્તુ મળી રહેતા રેલવેનો તેટલો ખર્ચ બચશે.

Next Article