Ahmedabad : નાના સુવર્ણકારો માટે HUID અભિશાપરૂપ, સોની વેપારીઓનો ખર્ચ વધી જશેઃ મોઢવાડિયા
હોલમાર્ક યુનિક આઈડીનો નિયમ સોનાની ખરીદી દરમિયાન છેતરપિંડીથી રક્ષણ ચોક્કસ આપે છે. પરંતુ દેશભરમાં સોની કામ સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારો માટે હોલમાર્કનો નિયમ અભિશાપરૂપ છે.
Ahmedabad : હોલમાર્ક યુનિક આઈડીનો નિયમ સોનાની ખરીદી દરમિયાન છેતરપિંડીથી રક્ષણ ચોક્કસ આપે છે. પરંતુ દેશભરમાં સોની કામ સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારો માટે હોલમાર્કનો નિયમ અભિશાપરૂપ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે આ નિયમથી નાના સોની વેપારીઓનો ખર્ચ વધી જશે. નાના સુવર્ણકારોને હોલમાર્કના રજીસ્ટ્રેશન માટે સમય લાગશે. અને ગ્રાહકોને ઝડપથી ઘરેણાં મળશે નહીં. કોરોના કાળમાં સોની વેપારીઓ પહેલાથી જ પરેશાન છે. ત્યારે સરકારે નાના સુવર્ણકારોને HUIDમાંથી બાકાત રાખવા જોઈએ.
Latest Videos
Latest News