Ahmedabad : ફાયર સેફટી મુદ્દે હાઇકોર્ટએ ગુજરાત સરકારને લગાવી ફટકાર, કહ્યું કે-પાલન ન થતું હોય ત્યાં કાર્યવાહી કેમ નહીં

Ahmedabad : ફાયર સેફટી (Fire Safety) મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે.

Ahmedabad : ફાયર સેફટી મુદ્દે હાઇકોર્ટએ ગુજરાત સરકારને લગાવી ફટકાર, કહ્યું કે-પાલન ન થતું હોય ત્યાં કાર્યવાહી કેમ નહીં
Gujarat High Court
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jun 01, 2021 | 10:34 AM

Ahmedabad : ફાયર સેફટી (Fire Safety) મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. આ સાથે જ કહ્યું છે કે, રહેણાંક વિસ્તારમાં હોસ્પીટલ હોય અને ત્યાં ફાયર સેફટીનાં નિયમોનું પાલન ન થતુ હોય તો આવા કેસોમાં કાર્યવાહી કેમ યોગ્ય રીતે થતી નથી.

આ સાથે જ ગુજરાત હાઇકોર્ટ ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, કેટલાંક નિયમો છે જેનું પાલન થવુ જરૂરી છે જે મામલે સરકાર અને કોર્પોરેશન તરફથી સોગંદનામામાં ઉલ્લેખ કરાયો હતો. રહેણાંક વિસ્તારમાં હોસ્પીટલ હોય તો ત્યાં ફાયરનાં નિયમોનું પાલન થવુ જરૂરી છે.

આ સાથે જ જણાવ્યું હતું કે, જે તે હોસ્પીટલમાં દર્દીઓ દાખલ થતાં હોય તો ત્યાં રોડની પહોળાઇ અને અન્ય નિયમોનું પાલન થવુ જોઇએ. ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી શકે છે કે નહિં, તેમજ દર્દીઓને બહાર કાઢવા માટે એન્ટ્રી અને એગ્ઝિટની સુવિધા છે કે નહિં તે પણ જાણવું જોઈએ. ફાયર સેફટીને લઇને યોગ્ય રીતે સમયાનુસાર ચેકિંગ કરાવવુ જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આગની ઘટના બને તે સમયે હોસ્પીટલ કર્મીઓએ દર્દીઓને તેમજ પોતાને બચાવવા શું કરવુ એ બાબતની ટ્રેનિંગ હોવી જરૂરી છે. બિલ્ડીંગ પરમિશન માટેની પ્રક્રિયા પણ પુર્ણ થયેલી હોવી જરૂરી છે. રહેણાંક વિસ્તારમાં બીયુ પરમિશન માટેની પ્રક્રિયાનું પણ પાલન થવુ જરૂરી છે.

સૌપ્રથમ અમદાવાદની શ્રેય હોસ્પીટલ અને ત્યારબાદ રાજકોટ, વડોદરા અને ભરૂચ તેમજ અન્ય શહેરોમાં લાગેલી આગ બાદ હાઇકોર્ટનું વલણ નિયમ પાલન અંગે ખુબ આકરુ રહ્યુ છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા એફિડેવિટમાં ગાંધીનગર પાટનગરમાં જ 40 સરકારી ઇમારતોમાં ફાયર સેફટીનાં નિયમોનું પાલન થતુ નથી.

સુનાવણી પહેલાંના દિવસે અમદાવાદ અને સુરત મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કરાયેલી સિલીંગની કામગિરી ફક્ત દેખાવ પુરતી હોય એમ લાગે છે. હાઇકોર્ટે પાછલી સુનાવણીમાં ટકોર પણ કરી હતી કે આ ઓનગોઇંગ પ્રક્રિયા છે. જે સમયાંતરે અધિકારીઓની જવાબદારી પ્રમાણે થવી જ જોઇએ. આ રીતે નિયમોનું પાલન ન કરનારા સામે કડક પગલાં લેવાય તો નિયમોનું પાલન થશે નહિં તો લોકો આ બાબતને ગંભીરતાથી લેશે નહિં.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">